ગઢડા પ્રથમ – ૭૧ : ભગવાનનું સ્‍વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 10:02pm

ગઢડા પ્રથમ – ૭૧ : ભગવાનનું સ્‍વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે

સંવત્ ૧૮૭૬ ના ચૈત્ર વદિ ૪ ચતુર્થીને દિવસ સાંજને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર મેડીની આગફ્ર ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી ને મુકતાનંદ સ્‍વામી આદિક સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “હવે કીર્તન ભકિતની સમાપ્‍તિ કરીને માંહોમાંહી પ્રશ્ર્ન ઉત્તર કરો” પછી સોમલાખાચરે પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, બીજા સર્વે અપરાધ ભગવાન માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે, એ અપરાધને ભગવાન માફ નાી કરતા. માટે ભગવાનના ભક્તનો કોઇ પ્રકારે દ્રોહ કરવો નહિ. અને વળી ભગવાન!ા સર્વે અપરાધ થકી ભગવાના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે. તે માટે એ અપરાધ તો કયારેય પણ કરવો નહિ. અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે તેને જે નિરાકાર સમજવા, એજ ભગવાના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરૂષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટિ સૂર્ય, ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ તેને વિષે સદા દિવ્‍યાકાર થકા વિરાજમાન છે. અને બ્રહ્મરૂપ એવા જે અનંતકોટિ મુક્ત તેમણે સેવ્‍યાં છે ચરણકમળ જેનાં એવા છે. અને પરબ્રહ્મ પુરૂષોત્તમ એવા જે એ ભગવાન તેજ પોતે કૃપાકરીને જીવના કલ્‍યાણને અર્થે પૃથ્‍વીને વિષે પ્રકટ થાય છે, ત્‍યારે જે જે તત્ત્વનો અંગીકાર કરે છે તે સર્વે તત્ત્વ બ્રહ્મરૂપ છે, કાંજે રામકૃષ્ણાદિક અવતારને વિષે સ્‍થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્‍વપ્ન, સુષુપ્‍તિ એ ત્રણ અવસ્‍થા તે જણાય છે, તથા દશ ઇંદ્રિયો, પંચ પ્રાણ ઇત્‍યાદિક સર્વે તત્ત્વ મનુષ્યની પેઠે જણાય છે, પણ એ સર્વે બ્રહ્મ છે પણ માયિક નથી, તે માટે એ ભગવાના આકારનું ખંડન કયારેય પણ ન કરવું.”

પછી માતરેધાધલે પ્રશ્ર્ન પુછયો જે, “ઇર્ષ્યાનું શું રૂપ છે ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેની ઉપર જેને ઇર્ષ્યા હોય તેનું રૂડું થાય ત્‍યારે તેથી ખમાય નહિ અને તેનું ભૂંડું થાય ત્‍યારે રાજી થાય, એ ઇર્ષ્યાનું લક્ષણ છે.”

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનની પ્રત્‍યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્‍સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય, અને તેનું કલ્‍યાણ થાય એ તો સત્‍સંગની રીતિ છે; પણ શાસ્ત્રમાં કલ્‍યાણની કેમ રીતિ છે ? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે. માટે તેની કથા થતી નથી, અને શ્રીમદ્ભાગવત પુરાણ અને મહાભારત એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે, માટે તેની જગતમાં કથા થાય છે, માટે શાસ્ત્રની રીતે કરીને કલ્‍યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્યેતો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે, અને રામાનુજાદિક જે આચાર્ય તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે. માટે એવી રીતે શાસ્ત્રનો મત લઇને ઉત્તર કરો.” પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાન! ભજને કરીને કલ્‍યાણ છે, એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, અમે પણ એજ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ર્ન પુછીએ છીએ જે, “નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરૂષોત્તમ ભગવાન તે પૃથ્‍વી ઉપર પ્રકટ મળ્‍યા તે કેડે બ્રહ્મપુર તથા વૈકુંઠ, શ્વેતદ્વીપ એ આદિક જે ભગવાનનાં ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે, ત્‍યારે એને નિય છે કે નથી ?” પછી મુનિ બોલ્‍યા જે, ભગવાન મળ્‍યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે, ‘જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ દેખીશું, ત્‍યારે આપણું કલ્‍યાણ થયું’ એવી સમજણવાફ્રાને તો યથાર્થ ભગવાન!ો નિય નથી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મસ્‍વરૂપને દેખ્‍યાની લાલચ રાખી એતે શું એણે પાપ કર્યું જે નિયની ના પાડો છો ?” પછી મુનિ બોલ્‍યા જે, “જેણે પ્રત્‍યક્ષ પ્રમાણ ભગવાન! દર્શને કરીને કલ્‍યાણ માન્‍યું હોય તે બ્રહ્મપુર, ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનનાં જ છે, માટે તેની પણ અરુચિ શા સારૂં રાખે ? પણ ભગવાન વિના એને ઇચ્‍છે નહિ.” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “તે ધામ ને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્‍યમૂલ્લત છે ને માયા પર છે, માટે એમાં શું દૂષણ છે જે એને ઇચ્‍છે નહિ ? અને ભગવાન પૃથ્‍વી ઉપર પ્રકટ વિરાજતા હોય ને ત્‍યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય, અને ઘર હોય તે પણ પડી જાય એવાં હોય તે કેમ સમજો છો ? પછી મુનિ બોલ્‍યા જે, એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ, ને એ સેવકને તો બ્રહ્મરૂપ સમજીએં છીએ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “બ્રહ્મપુર અને બ્રહ્મપુરને વિષે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે, તેને મૃત્‍યુ લોકનાં નાશવંત એવાં જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો ?” પછી નિયાનંદ સ્‍વામી બોલ્‍યા જે, હે મહારાજ ! એનો ઉત્તરતો તમે કરો. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ભગવાન જીવના કલ્‍યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્‍યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્‍યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્‍યામાં આવે નહિ. અને જ્યારે કોઇક ભક્તને સમાધિને વિષે અલૌકિક દૃષ્ટિ થાય છે ત્‍યારે તેને ભગવાનની મૂર્તિને વિષે કોટિ કોટિ સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે, અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે, માટે એ સર્વે ભગવાન ભેળું જ છે, તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેનીજ સેવાને અંગીકાર કરે છે, અને પોતાનાં ભક્તના ગાર્ય,માટી ને પાણાનાં જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે. અને તે ભક્ત ધૂપ, દીપ, અન્ન, વસ્‍ત્રાદિક જે જે અર્પણ કરે છે, તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે, તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્‍યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્‍તે કરે છે અને જે ભક્તજન જે જે વસ્‍તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્‍તુ ભગવાનના ધામને વિષે દિવ્‍યરૂપ થાય છે. અને એ ભક્ત દિવ્‍યરૂપ થઇ તેને પામે છે, માટે એવું અચળ અખંડ સુખ ભક્તજન! પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્‍વરૂપ અક્ષરધામ સહિત પૃથ્‍વી ઉપર વિરાજમાન છે એમ સમજવું, અને બીજા આગળ પણ એવી જ વાર્તા કરવી.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૭૧||