૧૬૩. ભકતચિંતામણિનાં ૧૬૪ પ્રકરણનો ટૂંકમાં સંકતે.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:58pm

પૂર્વછાયો- ભક્તચિંતામણિ ગ્રંથનાં, પ્રકરણ એકસો ચોસઠ ।

વિભાગે તે વર્ણવું, સુંદર સારી પેઠ્ય ।।૧।।

પ્રથમ મંગળાચર્ણ પ્રકર્ણ, બીજું કવિસ્તવન ।

ત્રીજે મહાત્મ્ય ગ્રંથનું, ચોથે હેમાદ્રિ વર્ણન ।।૨।।

પાંચમે મુનિનાં નામ કહ્યાં, છઠે ઋષિસ્તુતિ આપ ।

સાતમે  શાપ  દુર્વાસાનો,  આઠમે  તેનો  પરિતાપ  ।।૩।।

નવમે ઉદ્ભવ અસુરનો, દશમે ધરમ અવતાર ।

અગ્યારે વિવાહ ભક્તિધર્મનો, બારે રામાનંદ મળ્યા ઉદાર ।।૪।।

તેરે ત્યાંથી ઘેર આવિયા, ચૌદે ધર્મ મુનિને મળ્યા હરિ ।

પનરે ધર્મ અશ્વત્થામાએ શાપ્યા, સોળે પ્રભુ પ્રકટ્યા દયા કરી ।।૫।।

સત્તરે કૃત્યાઓનું વિઘન કહ્યું, અઢારે હરિચરિત્ર ચવ્યું ।

ઓગણિશે અસુરવિઘન ટાળ્યું, વિશે અવધ્ય ધામ વર્ણવ્યું ।।૬।।

એકવિશે હરિ બાળલીળા, બાવિશે જનોઇનો જાગ ।

ત્રેવિશે ચરિત્ર પવિત્ર છે, ચોવિશે માતા તનત્યાગ ।।૭।।

પંચવિશે ધર્મે ધ્યાને કરી, છવિશે તજીયું તન ।

સત્યાવિશે ચાલ્યા હરિ ઘેરથી, અઠ્યાવિશે અવનિ અટન ।।૮।।

ચોપાઇ- ઓગણ ત્રિશે કર્યું તપ આપ રે, ત્રિશે ગોપાળયોગી મેળાપ રે ।

એકત્રિશે લૈ પ્રકર્ણ ચાર રે, ફર્યા ર્વિણ તે વન મોઝાર રે ।।૯।।

પાંતરિશે તીર્થમાં ભમ્યા રે, છત્રિશે ઉદ્ધવ જનમ્યા રે ।

સાડત્રિશે આડત્રિશે વાત રે, કહી રામાનંદની વિખ્યાત રે ।।૧૦।।

ઓગણચાલિસમાં ઘનશ્યામ રે, આવ્યા સતસંગમાં સુખધામ રે ।

ચાળિશે સ્વામીનું ધ્યાન કરી રે, કહિ મૂર્તિ રૂડી રસભરી રે ।।૧૧।।

એકતાળિશે મુક્તાનંદે પત્ર રે, લખ્યો સ્વામી ઉપર સુંદર રે ।

બેતાળિશે પત્રી નીલકંઠે રે, લખી સુંદર સારીપેઠે રે ।।૧૨।।

ત્રેતાળિશે તેનો ઉત્તર રે, લખ્યો સ્વામી શ્રીજીએ સુંદર રે ।

ચુંવાળિશે રામાનંદ આવી રે, મળ્યા નિલકંઠને બોલાવી રે ।।૧૩।।

પિસ્તાળિશે મહાદિક્ષા દિધી રે, છેંતાળિશે રૂચિની વાત કીધી રે ।

સડતાળિશે  રામાનંદ  શ્યામ  રે,  પધારીયા સદેહે સ્વધામ રે ।।૧૪।।

અડતાળિશે ઉત્સવ માંગરોળે રે, તિયાં જન ર્ક્યાં બહુ ટોળે રે ।

ઓગણ પચાસે પચાસે અનુપ રે, કહ્યાં હરિચરિત્ર સુખરૂપ રે ।।૧૫।।

એકાવને પરમહંસ કીધા રે, બાવન ત્રેપનમાં નામ લીધાં રે ।

ચોપને હરિચરિત્ર પાવન રે, પંચાવને જેતલપુર યજ્ઞ  રે ।।૧૬।।

છપને જેતલપુર જઇ રે, ગયા ખોખરાદે સંઘ લઇ રે ।

સત્તાવને અસુરને મારી રે, ગયા કચ્છદેશ સુખકારી રે ।।૧૭।।

અઠાવને ઓગણસાઠ્યે જાણો રે, યજ્ઞ ડભાણનો પરમાણો રે ।

સાઠ્યે કચ્છદેશથી સોરઠમાંઇ રે, કરી અષ્ટમી તે અગત્રાઇ રે ।।૧૮।।

એકસઠ્યે યજ્ઞ જેતલપુરે રે, કરતાં વારું કરાવ્યું અસુરે રે ।

બાસઠ્યે કારિયાણીમાંઇ રે, કર્યો અષ્ટમી ઉત્સવ ત્યાંઇ રે ।।૧૯।।

ત્રેસઠ્યમાં વઉઠાની વાત રે, લીળા કરી ફર્યા ગુજરાત્ય રે ।

ચોસઠ્યે  સારંગપુર  ગામે  રે,  કર્યો  ઉત્સવ  સુંદર  શ્યામે  રે  ।।૨૦।।

પાંસઠ્યે ગઢડા ગામમાંઇ રે, રમ્યા હુતાશની હરિ ત્યાંઇ રે ।

છાસઠ્યમાં લાડિલો લાલ રે, કર્યો ફુલડોલ વરતાલ રે ।।૨૧।।

સડસઠ્યે કર્જીસણ ગામે રે, કરી અષ્ટમી ત્યાં ઘનશ્યામે રે ।

અડસઠ્યમાંહિ રુડિપેઠ્ય રે, કરી ગઢડે કપિલા છઠ્ય રે ।।૨૨।।

અગણોતેરે પૂરી દીપમાળ રે, કરી વરતાલે લીળા દયાળ રે ।

શિતેરે ગઢડે હોળી રમી રે, ઇકોતેરે વરતાલ અષ્ટમી રે ।।૨૩।।

બોંતેરે ધર્મપુરની વાત રે, ગયા ઘણું રહી ગુજરાત રે ।

તોંતેરે વરતાલે મુરારિ રે, ફુલડોલે ઝુલ્યા મુગટ ધારી રે ।।૨૪।।

ચુંવોતેરે વળી વરતાલે રે, હુતાસની ઉત્સવ કર્યો વાલે રે ।

પંચોતેરે લખ્યું ગયા સોરઠે રે, કરી લીલા તિયાં બહુ પેઠ્યે રે ।।૨૫।।

છોંતેરે જેતલપુર ગામે રે, ભીમએકાદશી કરી શ્યામે રે ।

સત્યોતેરમાં વાત એ જાણો રે, જીત્યા વેદાંતાચારને પ્રમાણો રે ।।૨૬।।

અઠ્યોતેરે ઓગણાશિયે વાત રે, પ્રબોધની ઉત્સવ વિખ્યાત રે ।

એંશી પ્રકરણમાં છે એહ રે, કરી ગઢડે હુતાશની તેહ રે ।।૨૭।।

એકાશીમાં બોટાદની લીળા રે, રમ્યા હોળી હરિજન ભેળા રે ।

બાશિયે શ્રીનગર જઇ રે, આવ્યા સહુને દર્શન દઇ રે ।।૨૮।।

ત્રાશિયે દેશ ડંઢાવ્યે રે, દિધાં દર્શન ભૂધરે ભાવે રે ।

ચોરાશિમાં ગઢડાની વાત રે, દુષ્ટ દમિ ગયા ગુજરાત રે ।।૨૯।।

પંચાશિયે ગઢડામાં વળી રે, કરી દીપ ઉત્સવ દીવાળી રે ।

છાશિયે શ્રીનગરમાંઇ રે, નરનારાયણ બેઠા ત્યાંઇ રે ।।૩૦।।

સત્યાશિએ  શું  કહું  વખાણી  રે,  કર્યો  અન્નકોટ  કારિયાણી  રે  ।

અઠ્યાશિમા પ્રકરણમાં કહ્યો રે, ફુલડોલ પંચાળે સમૈયો રે ।।૩૧।।

નેવાશિમાં એ કહી પ્રકાશું રે, રહ્યા ગઢડે સંત ચોમાસું રે ।

નેવુંવે શ્રીનારાયણ પધરાવ્યા રે, પછી અયોધ્યાનાં વાસી આવ્યાં રે ।।૩૨।।

એકાણુંમાં પ્રાણ આધાર રે, પૂછ્યો ધર્મકુળ પરિવાર રે ।

બાણું ત્રાણું પ્રકર્ણે એ ચવી રે, વાત દ્વારામતિની વર્ણવી રે ।।૩૩।।

ચોરાણું પંચાણુંમાં એ પેર રે, પ્રભુ પધાર્યા સુરત શહેર રે ।

છન્નુમાંઇ હોેળીનો સમૈયો રે, કર્યો અમદાવાદ તે કહ્યો રે ।।૩૪।।

સતાણું પ્રકર્ણે પ્રમાણો રે, દીપઉત્સવ વરતાલ્યે જાણો રે ।

અઠાણું પ્રકર્ણે શ્રીનગર રે, કર્યો હોળી સમૈયો સુંદર રે ।।૩૫।।

નવાણું પ્રકર્ણે જાણો જન રે, વાલો પધાર્યા વટપત્તન રે ।

સોમા પ્રકર્ણમાં વાત સારી રે,  કહી બહુ પ્રકારે વિસ્તારી રે ।।૩૬।।

સો ને એકે પ્રોક્ષપક્ષ લીધી રે, થઇ આચાર્ય ભક્તિ કીધી રે ।

સોને બેયે બહુનામીતણાં રે, કહ્યાં ન જાય ચરિત્ર ઘણાં રે ।।૩૭।।

સો ને ત્રણ્યે મુનિની સ્તુતિ રે, બોલ્યા સોને ચારે પ્રાણપતિ રે ।

સોને પાંચે સામર્થી હરિને રે, કહ્યાં સુક્ષ્મ દૃષ્ટિ કરીને રે ।।૩૮।।

ત્યાંથી પાંચ પ્રકર્ણે વિખ્યાત રે, કહી પંચ વરતની વાત રે ।

સોેને અગિયારે શુભ જાણો રે, વ્રત બાઇયો ત્યાગીનાં પ્રમાણો રે।।૩૯।।

સોને બારે બાઈ ભાઈ નામરે, કહ્યાં રહ્યાં જે ગઢડે ગામ રે ।

સો ને તેરે સોરઠવાસી જન રે, તેનાં નામ લખ્યાં છે પાવન રે ।।૪૦।।

સો ને ચૌદે વાલાકના ભક્ત રે, કહી તેહનાં નામની વ્યક્ત રે ।

સો ને પનરે પાંચાળવાસી રે, કહ્યાં તેહનાં નામ પ્રકાશી રે ।।૪૧।।

એકસો ને સોળે કચ્છ હાલારી રે, લખ્યાં જનનાં નામ વિસ્તારી રે ।

સો ને સત્તરે સૌભીરનાં જન રે, કહ્યાં નામ પરમ પાવન રે ।।૪૨।।

સો અઢારે ભાલભક્ત ભાખ્યા રે, સો ઓગણિશે ડંઢાવ્યના દાખ્યા રે ।

સો ને વિશે મારૂ ગુજરાતી રે, કહ્યાં નામ તેહનાં વિખ્યાતિ રે ।।૪૩।।

સો ને એકવિશે કહ્યાં નામ રે, ભક્ત ચડોતરે નર વામ રે ।

સો  બાવિશે  ચડોત્રરે  નાર  રે,  તેનાં  નામ  જાણો  નિરધાર  રે  ।।૪૪।।

સો ને ત્રેવિશે બારાનાં જન રે, તેનાં નામ લખ્યાં છે પાવન રે ।

સો ને ચોવિશે પચિશે પરમાણો રે, વાકળ કાનમ સુરતી જાણો રે।।૪૫।।

સોને છવિશે નિમાડી ભાખ્યાં રે, ખાંની હિંદુસ્થાની લખી રાખ્યાં રે ।

સો સત્યાવિશે ખંડ બુંદેલ રે, ગંગાપાર જન પંચ મહેલ રે ।।૪૬।।

વત્સઘોષ આદિ દેશ જેહ રે, નામ સોળ પ્રકરણમાં તેહ રે ।

ત્યાંથી એકત્રિશ પ્રકર્ણે જાણો રે, લખ્યા પરચા તે પરમાણો રે ।।૪૭।।

એકસો ઓગણસાઠ્યે ભણી રે, શોભા ગોલોક ધામની ઘણી રે ।

સો ને સાઠ્યે નાથે ધીરજ દીધી રે, પછી કરવાની હતી તે કીધી રે ।।૪૮।।

સોને એકસઠ્યે ઘનશ્યામ રે, પોત્યે પધાર્યા પોતાને ધામ રે ।

સોને  બાસઠ્યે  હરિ  વિયોગ  રે,  હરિજન  પિડાણાં  એ  રોગ  રે  ।।૪૯।।

સો ને ત્રેસઠ્યે કહ્યો સંકેત રે, સર્વે પ્રકરણ જાણવા હેત રે ।

સો  ને  ચોસઠ્યે  માહાત્મ્ય  જાણો  રે,  ગ્રંથ  ઇતિ  પરમાણો  રે  ।।૫૦।।

પુરાં પ્રકરણ સો ને ચોસઠ્ય રે, શિખે ગાય સુણે સારી પેઠ્ય રે ।

નિત્ય પ્રત્યે કરીને અધ્યાસ રે, કહેશે સાંભળશે હરિદાસ રે ।।૫૧।।

તેને ઉપર રીઝે દયાળુ રે, થાય લોક પરલોક સુખાળુ રે ।

એવી અનુપ કથા આ છે રે, જેમાં હરિચરિત્ર કહ્યાં છે રે ।।૫૨।।

સત્સંગી જે નર ને નારી રે, તેને આ કથા છે સુખકારી રે ।

સુણીસુણી  લેશે  સુખ  અતિ  રે,  થાશે  ધર્મ  નિયમે  દૃઢમતિ  રે  ।।૫૩।।

પ્રભુ પ્રકટના જે ઉપાસી રે, તેને તો આ ગ્રંથ સુખરાશી રે ।

જેમાં ઇષ્ટદેવનાં ચરિત્ર રે, સુણી થાય પરમ પવિત્ર રે ।।૫૪।।

રામ ઉપાસીને રામચરિત્ર રે, સુણી માને સહુથી પવિત્ર રે ।

કૃષ્ણઉપાસીને કૃષ્ણલીળા રે, માને મુદ સુણે થઈ ભેળા રે ।।૫૫।।

તેમ સહજાનંદી જન જેહ રે, સુણી આનંદ પામશે એહ રે ।

એવી કથા આ અનુપમ સારી રે, સત્સંગીને છે સુખકારી રે ।।૫૬।।

હરિજનને છે આ પીયૂષ રે, વિમુખ જનને છે આ વિષ રે ।

સુણી સત્સંગી લેશે આનંદ રે, કહેશે પરમાર્થી નિષ્કુળાનંદ રે ।।૫૭।।

ઇતિ  શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક  શ્રીસહજાનંદસ્વામિ  શિષ્ય  નિષ્કુળાનંદમુનિ  વિરચિતે ભક્તચિંતામણિ  મધ્યે ગ્રંથ પ્રકરણ સર્વેનો  સંકેત કહ્યો એ નામે એકસો ને ત્રેસઠમું પ્રકરણમ્ ।।૧૬૩।।