સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 06/04/2016 - 1:20pm

 

રાગ - કાફી

પદ - ૧

સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ. ટેક.

વ્યાસ મુનિએ જે પૂર્વે કહી ’તી,  તે વાત સાચી કરી. પ્રગટ૦ ૧

કૌશલ દેશમાં પ્રગટ્યા પોતે, દ્વિજકુળ દેહ ધરી. પ્રગટ૦ ૨

અધર્મ કેરાં મુળ ઊખાડી, સદ્ધર્મ સ્થાપ્યો ફરી. પ્રગટ૦ ૩

નિષ્કુળાનંદ કહે દુર્ગપુર આવ્યા, નિરખ્યા મેં નેણાંભરી. પ્રગટ૦ ૪

 

પદ - ૨

સહજાનંદ હરિ ભજી લ્યોને, સહજાનંદ હરિ. ટેક.

દારૂ ને માટી ચોરી અવેરી, એ ચારેનો ત્યાગ કરી. ભજી૦ ૧

જન્મ મરણનું સંકટ મોટું,  તે થકી મનમાં ડરી. ભજી૦ ૨

નારાયણનું નામ જ લેતાં, ભવજળ જાશો  તરી. ભજી૦ ૩

નિષ્કુળાનંદ કહે નિઃશંક થઈને, માનજો વાત ખરી. ભજી૦ ૪

 

પદ - ૩

જાવું જરૂર મરી મેલીને સર્વે, જાવું જરૂર મરી. ટેક.

રાતદિવસ રળ્યો ધનને કાજે, સમર્યા નહિ ઘડીએ હરિ. મેલીને૦ ૧

મેળી મંદિરને માલ ખજીના, સંપત રહેશે ધરી. મેલીને૦ ૨

સગાસબંધી સહુ જોઈ રહેશે, કેનું ન ચાલે જરી. મેલીને૦ ૩

નિષ્કુળાનંદ કહે જોને વિચારી, રહે નહિ દેહ ધરી. મેલીને૦ ૪

 

પદ - ૪

મનમાં વિચારી જરી જોયું નહિ, મનમાં વિચારી જરી. ટેક.

સાધુ જનની વાત ન માની, પાપીની સોબત કરી. જોયું૦ ૧

નારાયણનું નામ ન લીધું, મનુષ્ય દેહ ધરી. જોયું૦ ૨

જુવાનીમાં જોરે ભરીયો, ચોરી અવેરી કરી. જોયું૦ ૩

નિષ્કુળાનંદ કહે માગીને લીધી, માથે ચોરાશી ફરી. જોયું૦ ૪

Facebook Comments