સ્નેહગીતા કડવું - ૩૩

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:13pm

ઊદ્ધવ અમે અંતરે થઈછું જાજરીજી, તેતો શ્યામ સલુણાને સ્નેહે કરીજી ।
ધીર અંગે અબળા નથી શકતી ધરીજી, અધુરૂં પુરુ કરવા આવિયા તમે ફરીજી ।।૧।।

ઢાળ –

અધુરૂં પુરુ કરવા કાજે, એ સંદેશો કૃષ્ણે કહાવિયો ।
કાળજું તો કાપીને ગયા’તા, વળી મારીને પ્રાણ મંગાવિયો ।।૨।।

પ્રાણ અમારા લઈને ઊદ્ધવ, અલબેલોજી શું કરશે ।
અમો અબળાનો અંત આણે, એનું કારજ તે શું સરશે ।।૩।।

માશી મલ્લ મામાને માર્યો, એમ આવી મારે મર અમને ।
પણદૂર રહીને દગા રચેછે, તેતો ઘટતું નથી ત્રિકમને ।।૪।।

સ્વારથ વિના શાને માટે, અમ ઊપર એણે આદર્યું ।  
અમે અબળાએ ઊદ્ધવ એનું, ભૂંડું તે ભાઈ કહો શું કર્યું ।।૫।।

અનેક અપરાધ હોય અબળાના, તોયે નર નથી કોઈ મારતા ।
ભણી આવ્યા છે ભાઈ બહુ, કેમ એટલું નથી વિચારતા ।।૬।।

પારાધી બાંધી મારે પશુને, તેતો માંસ ચર્મને માટ જો ।  
એતો અમારૂં અર્થ નહિ આવે, શું મારીને કરશે ખાટ જો ।।૭।।

નો’તુંદીઠું નો’તું સાંભળ્યું, જે પ્રીત કરીને પ્રાણ હરવા ।
ઊદ્ધવજી એવું અલબેલાને, કોણે શીખવ્યું જો કરવા ।।૮।।

કેને કહીએ કોણ સાંભળે, જયારે અલબેલે એવું આદર્યું ।  
ઊગરવાની અમે આશા મેલી, મરવાનું મન નિશ્ચે કર્યું ।।૯।।

અધુરે સુખે મરશું અમે, રે’શે આશા અમારી એહશું ।  
નિષ્કુલાનંદના નાથ સાથે, નથી પડવું નોખું સ્નેહશું ।।૧૦।। કડવું ।।૩૩।।