સ્નેહગીતા કડવું - ૩૭

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:21pm

ઊદ્ધવનું અંતર મન આશ્ચર્ય પામિયુંજી, આપણું ડહાપણપણુંદેખી ગોપીને વામિયુંજી ।
જાણ્યું હરિનું હેત જુવતી ઘટ જામિયુંજી, પછી પ્રમદાને ચરણે ઊદ્ધવે શિશ નામિયુંજી ।।૧।।

ઢાળ –

શિશ નમાવી વળી વંદના કીધી, ધન્ય ધન્ય બાઈ તમે ધન્ય છો ।
સ્નેહપણ સાચો તમારો, વળી તમે હરિનાં તન છો ।।૨।।

તમારા પ્રેમને પાશલે, વળી સર્વે સાધન ન્યૂન છે ।
મને થયુંદરશન તમારૂં, તેહ મારાં મોટાં પુણ્ય છે ।।૩।।

પ્રીત તમારી પ્રમદા, તેની રીત અલૌકિક અબળા ।
તમારી શ્રીકૃષ્ણ સ્વામીની, કોયે કળાતી નથી કળા ।।૪।।

એટલું તો જાણું જો અમે, તમે ગોપીછો ગોલોકની ।  
એહ વિના તો ન હોય આવું, હોય બીજે બુદ્ધિ તો કોકની ।।૫।।

મોટાં ભાગ્ય માતાજી મારાં, જે કૃષ્ણે મુજને મોકલ્યો ।
સુણી સુધાસમ વાણી તમારી, પ્રેમેશું પીતાં હું છળ્યો ।।૬।।

તમારી પદ રજ માગવા, બાઈ લલચાણું મારૂં મન ।  
તમારા દાસનુંદાસપણું, એહ આપજો જુવતી જન ।।૭।।

બાઈ બાળક બુદ્ધિએ હું બોલિયો, તેનો હૃદયે ન ધરશો રોષ ।  
કાલું બોબડું કહ્યું મેં જેહ, તેહ દાસનો નિવારીએદોષ ।।૮।।

સાચી તમારી પ્રીત સજની, વળી સાચો તમારો સ્નેહ ।  
સાચી ભકિત તમે કરી સુંદરી, આવો પામી અબળાનોદેહ ।।૯।।

મે’ર કરો માતા મુજને, આપો આજ્ઞા તે શિર ધરૂં ।  
નિષ્કુલાનંદના નાથ પાસે, કહો તો જાવાનું હવે કરૂં ।।૧૦।। કડવું ।।૩૭।।