સારસિદ્ધિ કડવું - ૪૧

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 8:38pm

જોડ્ય નથી જડતી જગમાંયે જોતેજી, ઘણી ઘણી રીતે ઘટમાં ગરી ગોતેજી

બીજા અવતારના અવતારી પોતેજી, આપે આવિયા સર્વે સામર્થિ સોતેજી ।।૧।।

 ઢાળ - 

સર્વે સામર્થી સહિત આવ્યા, અલબેલોજી આણી વાર ।।

પોતાના પ્રતાપથી, કર્યો અનેક જીવનો ઉદ્ધાર ।। ર ।।

ખગ મૃગ નર નિરજર, ભૂત ભૈરવ પામ્યા ભવપાર ।।

સ્થાવર જંગમ જાતની, આણે સમે લીધી છે સાર ।। ૩ ।।

દૈવી આસુરી દોયને, તાર્યા આણે સમે અગણિત ।।

ન જોઈ કરણી કોઈની, એવી નવી વર્તાવી રીત ।। ૪ ।।

તમોગુણી રજોગુણી તારિયા, સત્ત્વગુણીને આપિયા સુખ ।।

શરણાગતને આ સમે, રહેવા દીધું નહિ દુઃખ ।। પ ।।

જે જન કોઈ પ્રકારે કરીને, ઉદ્ધરવાનો આઝો નહિ ।।

એવા જન ઉદ્ધારિયા, તેની મોટપ્ય કેમ જાયે કહિ ।। ૬ ।।

ધર્મ રહિત ભકત રહિત, વળી વૈરાગ્ય જેને છે વેરવી ।।

એવા પામર નર પાર કર્યા, એવી વર્તાવી વાત નવી ।। ૭ ।।

તૃણ કાષ્ઠ ને તુંબડાં તારે, એવાં વા’ણ તો હોયે ઘણાં ।।

પણ લોહ પાષાણને તર ઉતારે, એહ નાવમાં નહિ મણા ।। ૮ ।।

તેમ દૈવી મુમુક્ષુ જીવ તારે, તેનું આશ્ચર્ય શું જાણિયે ।।

પણ આસુરી પામર નર તરે, તેથી વાત બીજી શું વખાણિયે ।। ૯ ।।

આ સમાના અવતારની, મોટપ મુખે કે’વાતી નથી ।।

નિષ્કુળાનંદ કહે જન મને, વિચારી જુવો વિધવિધથી ।। ૧૦ ।।