સારસિદ્ધિ કડવું - ૪૦ અનુપ સંતને આપું ઉપમા, એવું નથી જો એક; । પદ - ૧૦

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:46pm

સંત સમર્થ છે શ્રીહરિ સેવીજી, આપું એને ઉપમા નથી કોઈ એવીજી

અનુપમને ઉપમા સમજો શી દેવીજી, એ પણ વાત છે વિચાર્યા જેવીજી ।।૧।।

 ઢાળ - 

વિચાર્યા જેવી છે એ વારતા, જે આપવી સંતને ઉપમા ।।

શા સરખા સૂચવિયે, જેને જકત સુખની નથી તમા ।। ર ।।

સિંધુને શા સરિખો કહું, અતિ ઊંડો ને ઘણો ગંભીર છે ।।

તોલ માપ થાપ થાતો નથી, જેનું અતિ અગાધ નીર છે ।। ૩ ।।

જો તીખો અર્ક તપે ઘણું, પણ અણુભાર ઊનો નવ થાય ।।

તેને સમ સર સરિતા વાપી, કૂપ કેમ કહેવાય ।। ૪ ।।

તેમ સંત ગંભીર ગરવા ઘણું, તપે નહિ ત્રણે તાપે કરી ।।

અતિ પરમારથી પ્રાણધારીના, શોક સંશય સર્વે લિયે હરી ।। પ ।।

જેમ મહા અર્ણવ ઉલ્લંઘવા, નથી ઉપાય બીજો નાવ વિના ।।

તેમ સંસાર સાગર પાર કરવા, જાણો સંત અજર ઝાઝ બન્યા ।। ૬ ।।

જેમ ચિંતામણિમાં ચૌદ લોકની, રકમ સર્વે રહી છે ।।

તેમ સાચા સંતમાં સમજો, કહો કમી તે સઈ છે ।। ૭ ।।

મોટે ભાગ્યે કરી મળે માનો, સાચા સંતનો સમાગમ ।।

તો તેણે કરી મહા સુખ પામે, વળી વામે વેળા વિષમ ।। ૮ ।।

સર્વે વાત જાય સુધરી, જો થાય એવા સંતશું પ્રીત ।।

નૂન્ય ન રહે તેહ જનને, જાણો જોરે થઈ જાય જીત ।। ૯ ।।

પાર આવી જાય સર્વે પંથનો, વળી સરી જાય સહુ કામ ।।

નિષ્કુળાનંદ શુદ્ધ સંત સેવ્યાથી, પમાયે પૂરણ પરમધામ ।। ૧૦ ।। કડવું ।।૪૦।।

 

 

રાગ:-ધોળ

(‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ.)

અનુપ સંતને આપું ઉપમા, એવું નથી જો એક;

જોઈ જોઈ જોયું મેં જીવમાં, કરી ઊંડો વિવેક..અનુપ ।। ૧ ।।

સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, શોધે નાવે સંતને તોલ;

દીઠાં સુણ્યાં તે તો દોષે ભયાર્ં, સંત અતિ અમળ અમોલ..અનુપ ।। ર ।।

સાતે દષ્ટાંતે સહુ સૂચવી, કહે કવિ જન કોય;

સરે સાર તેમાં શોધતાં, સંત સમ નહિ સોય..અનુપ ।। ૩ ।।

જેવા સંત એ કહિયે શિરોમણિ, તેવા હરિ સહુ શિરમોડ;

નિષ્કુળાનંદ નિહાળતાં, ન જડે એ બેની જોડ..અનુપ ।। ૪ ।।