સારસિદ્ધિ કડવું - ૪૬

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 8:52pm

કથી નથી કે’વાતી વણ જાણે વાતજી, કે’શે કોઈ સંત જે જાણે છે સાક્ષાતજી

બીજા બહુને છે એ વાત અખ્યાતજી, દીઠા ભેટ્યા વિના ભાખશે કોણ ભાતજી ।।૧।।

 ઢાળ - 

કોણ ભાતે નર ભાખશે, જેને સ્વપ્ને પણ સંબંધ નથી ।।

અટકળ અનુમાન કરી, મોટા મોટા મરે છે મથી ।। ર ।।

કોઈ કહે હજાર હાથ હરિને, કોઈ કહે આઠ ચાર કર છે ।।

કાનનું સુણ્યું સહુ કહે, પણ ખરી કાંઈ ખબર છે ? ।। ૩ ।।

કોઈ કહે હરિ અરૂપ છે, કોઈ કહે તેજોમય તન ।।

કોઈ કહે વિશ્વમાંહિ વ્યાપી રહ્યા, કોઈ કહે આ બોલે વચન ।। ૪ ।।

કોઈ કહે પ્રભુને પરછાયો નહિ, કોઈ કહે ન ધરા ધરે પાવ ।।

દીઠા વિના આપ ડા’પણે, અમથા કરે છે ઉઠાવ ।। પ ।।

પણ જાણો હરિને બે હાથ છે, બે પાવલિયા છે પુનિત ।।

શ્રવણ નયન નાસિકા, મુખે બોલે છે રૂડી રીત ।। ૬ ।।

જમે રમે નિજજન ભેળા, લિયે દિયે પૂજા જે દાસ ।।

હસે વસે સેવક સંગે, અલબેલો આપે અવિનાશ ।। ૭ ।।

સાકાર સુંદર મૂરતિ, સુખદાયી સહજાનંદ ।।

તેને જાણ્યા વિના જડમતિ, નિરાકાર કહે નર મંદ ।। ૮ ।।

સવળું અવળું સમજી, પાડી આંટી ઘાટી ઉરમાંય ।।

ઘૂંચાણા ઘણી ઘૂંચવણીમાં, પડ્યું નહિ પાધરું કાંય ।। ૯ ।।

પૂઠ્ય દઈ પૃથ્વીનાથને, ચોડ્યું ચિત્રામણમાંય ચિત્ત ।।

નિષ્કુળાનંદ પ્રગટ મૂકી, કરી આળ પંપાળશું પ્રીત ।। ૧૦ ।। કડવું ।।૪૬।।