૮૪. સંતો સાથે ગઢપરુ માં લીલાઓ કરી અને અન્નકટુોત્સવ કર્યો, ગેબી અસરુ ને ભગાડ્યો, ત્યાંથી જતે લપરુ ,

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:15pm

રાગ સામેરી-

પછી ગામ ગઢડે, આવિયા તે અલબેલ ।

કરે લીલા લલિત ભાત્યે, રસિયોજી રંગરેલ ।।૧।।

દિયે આનંદ દાસને, અતિહાસ વિલાસ હરિ કરી ।

સુંદર મનોહર મૂરતિ, જન નિરખે નયણાં ભરી ।।૨।।

નાવા જાય નિત્યે નીરમાં, સખા સવેર્સંગ લઇ ।

સંત સંગે શ્યામળો, અતિ રંગે રમે રાજી થઇ ।।૩।।

ઉછાળે જળ અતિ ઘણાં, સામસામા સખા મળી ।

એકકોરે અલબેલો થઇ, વધારે રમત્ય વળી ।।૪।।

કરે ક્રીડા જળમાંહિ, સખા સંગે શ્યામ રે ।

અનેક જીવ જીવન જોઇ, થાય પૂરણકામ રે ।।૫।।

નાહિ નિસર્યા નાથજી, જળમાંહિથી વળી બહાર ।

વસ્ત્ર પહેરી વાલ્યમો, થયા અશ્વ ઉપર અસવાર ।।૬।।

આવી બેઠા ઓસરિયે, સુંદર ઢળાવી ઢોલિયો ।

શોભે સમૂહ સંતનો, તેતો નવ જાય બોલિયો ।।૭।।

પ્રશ્ન ઉત્તર અતિ ઘણા, માંહોમાંહિ મળી કરે ।

પછી પ્રશ્ન લઇ પોતે, અલબેલોજી ઓચરે ।।૮।।

કરે અલૌકિક ઉત્તર આપે, સુણ્યો નોય કેદિ શ્રવણે ।

સાંભળી જન મગન થાય, ધન્ય ધન્ય સહુ ભણે ।।૯।।

નિત્ય નવી કરે વારતા, વળી નાય નિત્ય નીરમાં ।

શ્વેત વસ્ત્ર સુમનહારે, શોભે ઘણું શરીરમાં ।।૧૦।।

એમ લીળા બહુ કરતા, શ્રાવણ ભાદ્ર વહી ગયા ।

આવ્યો આસો આનંદકારી, દિવાળીના દિન થયા ।।૧૧।।

કર્યો ઉત્સવ અન્નકોટનો, સંત સહુ ત્યાં આવિયા ।

વિવિધભાત્યે ભોજન કરી, નાથે હાથે જમાવિયા ।।૧૨।।

પુરી માળા ત્યાં દીપની, તે અતિશે શોભે ઘણી ।

શ્વેતદ્વીપ સરખી દિસે, શોભા એ સદનતણી ।।૧૩।।

સુંદર સિંહાસન ઉપરે, અલબેલો બેઠા વળી ।

ધૂપ દીપ ને આરતી, મુનિજને કરી મળી ।।૧૪।।

જયજય શબ્દે કરી, સહુ નરનારી ઓચરે ।

એવી અલૌકિક લીળા, જન કારણે જીવન કરે ।।૧૫।।

પછી આપી આગન્યા, મુનિ જાઓ તમે ગુજરાત ।

અમે પણ ત્યાં આવશું, તમે સત્ય માનજો વાત ।।૧૬।।

સંત સર્વે સધાવિયા, હરિમૂરતિ ધારી ઉર ।

તે કેડ્યે આવ્યો કળજુગી, એક અજબ ગેબી અસુર ।।૧૭।।

કપટબુધ્ધિ મતિ ઉંધી, સુધી વાત સમજે નહિ ।

પૂરણ પાપી માંસસુરાપી, નકટી નાર્યો સંગે સહિ ।।૧૮।।

એના કુળના કઇક બીજા, જે ગામમાં ગેબ હતા ।

તે પણ તેને જઇ મળ્યા,છેડો નાખી થયા છતા ।।૧૯।।

ગેબિયે ગેબનાં ડિંગ દિધાં, તે સાચાં માન્યાં સાંભળી ।

સ્વામી જાશે જયાં સબકી, તિયાં કેડ્યે જાઇશ વળી ।।૨૦।।

જો જાય એ જળમાં, વળી નભ પયાલે પરવરે ।

કેડે કેડે હું જાઉં તિયાં, આજ એ નવ્વ ઉગરે ।।૨૧।।

આપે પરચો અમને, દિયે ડેરી ઉપાડી આ તટે ।

એમ મુરખ આગળે, દિધાં ડિંગ દોવટે ।।૨૨।।

બોલે બે કાંટા બોરડી, એક વાંકો ને સુધો સહિ ।

પોથી પુરાણ પાર વાતો, બાપલા સમજો નહિ ।।૨૩।।

બહુ દિન ચયોર્એ બોરડિયે, આજ મળ્યા શિંગાળા સ્વામીને ।

આજતો એ ઉગરે જો, મળે મને કરભામીને ।।૨૪।।

હલાં કરીને હાલો હવે, શું રહ્યા છો જોઇને ।

બંધુક એની બંધ કરૂં, કરવાલ ન કાપે કોઇને ।।૨૫।।

સતસંગી એવું સાંભળી, સહુ સામા ચાલિયા સજી ।

પાપી પાછા ભાગિયા, આ વાત મુવાની નિપજી ।।૨૬।।

અન્ય જન આડાં ફરી, સતસંગી પાછા વાળિયા ।

અસુરે એમ જાણિયું જે, થયા અમારા પાળિયા ।।૨૭।।

પછી ઉતારે એકાંત કીધી, ભાંગતિ રાત્યે ભાગિયો ।

જો સવારે સૂરજ ઉગશે તો, જરૂર જાણે જીવ ગયો ।।૨૮।।

એમ અસુરનું વિઘન ટાળી, શ્યામળિયોજી સજજ થયા ।

દરશન દેવા દાસને, દયાળે કરી દયા ।।૨૯।।

પછી પ્રભુજી પધારિયા, જેતલપુરે જીવન ।

તિયાં સંત તેડાવિયા, સહુ આવિયા મુનિજન ।।૩૦।।

અમદાવાદથી આવિયા, મોટેરા મુક્તાનંદજી ।

સામા જઇ શ્રીહરિયે, આપિયું આનંદજી ।।૩૧।।

દિધાં દરશન દાસને, સંત નિરખી સુખિયા થયા ।

દિવસ દોય તિયાં રહી, પછી શ્યામ શ્રીનગર ગયા ।।૩૨।।

હેત જોઇ હરિજનનાં, ભુવન તેને પધારીયા ।

રેણિ રહી સુખ દઇ, નવલા નેહ વધારીયા ।।૩૩।।

પછી દિવસ વળતે, જોયાં ડેરાં દેવને ।

અનંત જીવ ઓધારવા, તે કેમ તજે ટેવને ।।૩૪।।

શહેર ફરી મહેર કરી, દીધાં તે દરશન દાન ।

અભય કરી આવ્યા હરિ, ભયભંજન ભગવાન ।।૩૫।।

ત્યાંથી પાછા પધારિયા, જેતલપુરને માંય ।

સંતને સુખ આપવા, રહ્યા દન દોય ત્યાંય ।।૩૬।।

પછી ત્યાંથી આવિયા, મોહન મેમદાવાદ ।

પુર બાહેર ઉતર્યા, ત્યાં કર્યો જ્ઞાનસંવાદ ।।૩૭।।

જનપ્રત્યે જીવન કહે, જેને જેટલો સતસંગ ।

તેને તેટલા પાપનો, થાય બાહેર ભિતર ભંગ ।।૩૮।।

તમે જાણો અમે ત્યાગીયું, ખાન પાન સુખ સંસાર ।

શીત ઉષ્ણ સહિ શરીરે, ભજીયે છીએ મોરાર ।।૩૯।।

આગ્યે મોટા અધિપતિ, જેનાં અતિ કોમળ અંગ ।

એક તનની જતનમાં, જન રહેતા બહુબહુ સંગ ।।૪૦।।

તેણે પણ પ્રભુ કારણે, કર્યાં તન મન સુખ ત્યાગ ।

સહ્યાં કષ્ટ શરીરમાં, ધન્ય ધન્ય તેનો વૈરાગ્ય ।।૪૧।।

એના જેટલું આપણે, કાંઇ ત્યાગ્યું નથી તનથી ।

માટે સંશય સુખ દુઃખનો, મેલી દેવો તનમનથી ।।૪૨।।

અમે જોને આવિયા, તમ કારણે તનધરી ।

મનવાણી પહોંચે નહિ, રહે નેતિનેતિ નિગમ કરી ।।૪૩।।

માટે અમારા દાખડા, સામું જોજયો સહુ મળી ।

અન્ય વાસના અંતરે, કોઇ રાખશો માં કહું વળી ।।૪૪।।

નરને નારી નારીને નરની, વળી પુત્રની પ્યાસ રહિ ।

તો બહોળા પુત્ર પુરૂષ મળશે, થાશે ફજેતિ બહુ સહી ।।૪૫।।

મારો મુકી આશરો, જે વિષય સુખને વાંછશે ।

તે સુખ નહિ પામે સ્વપને, સામું પડ્યા દુઃખમાં પચશે ।।૪૬।।

એટલી વાત કરી હરિ, પછી પુરમાં પધારિયા ।

ભોજન બહુ ભવન કરી, જનમન મોદ વધારિયા ।।૪૭।।

પછી જમાડી સંતને, ત્યાંથી ચાલિયા તતકાળ ।

દેગામે દર્શન દઇ, આવ્યા ડભાણે દયાળ ।।૪૮।।

ત્યાં રાત્ય રહી સુખ દઇ, રસોઇ રૂડી જમ્યા ।

પછી આવી વરતાલ્યમાં, દિન સાત સુધી ખમ્યા ।।૪૯।।

એક વૃધ્ધ સાધુ વિકાર વિના, નાથની નજરે આવિયો ।

પ્રસન્ન થઇ પોતે પછી, સુંદર સ્વાં ગ પહેરાવિયો ।।૫૦।।

બહુ વાત કરી હરિ, સંતને સુખિયા કર્યા ।

અનેક જન જીવન જોઇને, ભવસાગરનો ભય તર્યા ।।૫૧।।

પછી ત્યાંથી પધારિયા, આવિયાબુધેજ ગામ ।

જેજે જને નાથ નિરખ્યા, તે થયા પૂરણકામ ।।૫૨।।

ત્યાંથી હયે ચડી હરિ, જમ્યા ગોરાડ્યે ગોરસ ઘણાં ।

હેત જોઇ હરિ જનનું, જમતાં નવ રાખી મણા ।।૫૩।।

પછી પછમે પધારિયા, ત્યાં રહ્યા હરિ એક રાત્ય ।

ત્યાંથી તરત ચાલિયા, પોતે પ્રભુજી પરભાત્ય ।।૫૪।।

ધન્ય ધોલેરા ગામમાં, વસે ભક્ત પુંજોભાઇ એક ।

જેને સનેહ ઘણો શ્યામશું, અતિ ઉરમાંહિ વિવેક ।।૫૫।।

તેને ભુવન ભાવશું, પધારિયા પોતે હરિ ।

જન મન મગન થયા, નાથ નિરખ્યા નયણાં ભરી ।।૫૬।।

સુંદર ભોજન વ્યંજન કરાવિયાં, જમાડિયા જીવનને ।

હેત જોઇ હરિજનનું, જમ્યા ભાવે તેનાં ભોજનને ।।૫૭।।

આપી સુખ અતિઘણાં, પછી આવિયા ગઢડે હરિ ।

પોતે પ્રેમે પધારિયા, માગશર સુદી ચોથે ફરી ।।૫૮।।

ઇતિશ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તકશ્રીસહજાનંદસ્વામિશિષ્યનિષ્કુળાનંદમુનિવિરચિતેભક્તચિંતામણિમધ્યે શ્રીહરિચરિત્રે શ્રીહરિએ ગઢડે અન્નકોટનો ઉત્સવ કર્યો એ નામે ચોરાશિમું પ્રકરણમ્ ।।૮૪।।