વચનવિધિ કડવું - ૨૧

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:18pm

ખીજવે હરિને ખાટ્ય ન થાયજી, એ પણ જાણવું જન મન માંયજી
જેથી થાય દુઃખ સુખ સર્વ જાયજી, એવો નવ કરવો કોઈ ઉપાયજી

ઉપાય એવો કરવો નહિ, જેણે કરી ખીજે જગદીશ ।।
રાજી કર્યાનું રહ્યું પરું, પણ હરિને ન કરાવો રીશ ।। ર ।।

હઠ કરી હરિ ઉપરે, કોઈ સેવક કરે સેવકાઈ ।।
તે સેવક નહિ શ્રી હરિતણો, એ છે દાસ જાણો દુઃખદાઈ ।। ૩ ।।

મન ગમતું મૂકે નહિ, કરે હરિ હઠાડવા હોડ ।।
એવા ભકત જે ભગવાનના, તેને કહિયે કપાળના કોડ ।। ૪ ।।

ન કરે ગમતું ગોવિંદનું, નિજ ગમતું કરાવે નાથને ।।
જો મોડે ગમતું એના મનનું, તો શોધે વિમુખના સાથને ।। પ ।।

હરકોઈ વાતે હટકી, ચટકીને ચાલી નીસરે ।।
હેત તોડી હરિ હરિજનશું, વિમુખશું વાલ્યપ કરે ।। ૬ ।।

એવા જાલમ જનને, જાળવ્યા જોયે જગદીશને ।।
રીઝે તો ન રહે રીતમાં, ખીજે તો કાપે શીશને ।। ૭ ।।

વચન દ્રોહીથી લાગે વસમી, એવા સેવકની સેવકાઈ ।।
નિષ્કુળાનંદ એવી ભગતી, ભકતને ન કરવી ભાઈ ।। ૮ ।।