મુકુંદ મુનેરે મેલી ગયા, કરી કઠણ મન (૧)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:37pm

રાગ ધોળ

પદ - ૧

મુકુંદ મુનેરે મેલી ગયા, કરી કઠણ મન;

દયા ન આવી દિલમાં, મેલ્યાં અધવચ વન. મુકુંદ. ૧

આશા મનમાં એવી હતી, જાણું લઈ જાશે સાથ;

નહિ તો ઝાઝુ પોતે આંહી રહી, સુખીયા કરશે અનાથ. મુકુંદ. ૨

પહેલી પ્રિતી તો બહુ કરી, સદા રાખીને પાસ;

કેમ ઉતારી રે આ સમે, અમથી થઈને ઊદાસ. મુકુંદ. ૩

બહુ રે દયાળુ છો તમે, કઠણ થયા કેમ આજ;

દાસ જાણીને પોતાંતણા, રાખો મેર મહારાજ. મુકુંદ. ૪

તમ રે વિના ગમતું નથી, કહીયે કેને જઈ વાત;

હેત વચન કહી મુજને, કીધો વિશ્વાસઘાત. મુકુંદ. ૫

આસન સુનું રે દેખીને, થાય ઊદાસ મન;

મંદિરમાં ગમતું નથી, દાઝે ચિંતાયે તન. મુકુંદ. ૬

મુકુંદ કંદ તમે સુખ ન દીઘું, દીધું દુઃખ અપાર;

તમને ઘટે નહિ નાથજી, દયા આણો લગાર. મુકુંદ. ૭

ઓચિંતાના ચાલી નિસર્યા, માની એકનાં વચન;

અમને મેલ્યાં તમે રડતાં, એવું ન ઘટે જીવન. મુકુંદ. ૮

કર બે જોડી વિંનતી કરી, દાસ કહે બદ્રિનાથ;

કૃપા કરી મુજ ઊપરે, સદા રાખો સંગાથ. મુકુંદ. ૯

Facebook Comments