૪૭. સ્વામીએ શ્રીહરિને ગાદીએ બેસાડ્યા, વર્ણીએ સ્વામી પાસે વરદાન માગ્યા, રામાનંદ સ્વામીનો ફણેણીમા

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 8:52pm

પૂર્વછાયો-

એવું સુણી સ્વામી બોલિયા, સુણો હરિ શુદ્ધબુદ્ધિવાન ।

હાર્દ તમારા હૈયાતણું, તે સર્વે જાણ્યું મેં સુજાણ ।।૧।।

પણ હું કરૂં તે વિચારી કરૂં, વણ વિચારે ન કરૂં લેશ ।

બંધ થાતાં દેખું જેહને, તેને નાપું એવો ઉપદેશ ।।૨।।

હું પણ હમણાં રહ્યો છઉં, આ પવિત્ર પૃથ્વી મોઝાર ।

ધર્મ પળાવવા સમર્થ છું, સવેર્વાત માનો નિરધાર ।।૩।।

હવે પણ મારે જાવું થાશે, ભૂમિ તજી બ્રહ્મમહોલ ।

શિખામણ્ય સદ્શિષ્ય જાણી, આપું છું મતિ અડોલ ।।૪।।

ચોપાઇ-

મારો મનોરથ સર્વે સારો રે, કહું વચન તે હૃદે ધારો રે ।

તમ વિના ધર્મધુર જેહ રે, બીજાથકી ન ઉપડે તેહ રે ।।૫।।

માટે માનો વચન ર્વિણરાય રે, તમને બંધન નહિ થાય રે ।

તમે કરશો જો નારીશું વાત રે, નહિ બંધાઓ કહું છું તાત રે ।।૬।।

હોય યુવતિ યુથ અપાર રે, તમે રહેજયો તે નારી મોઝાર રે ।

સદા રહેશો તેમાં નિર્લેપ રે, બીજાને તો બોલ્યે ચડે કેફ રે ।।૭।।

તમે કંચન કાંતાએ કરી રે, નિશ્ચે નહિ બંધાઓ શ્રીહરિ રે ।

તમને સાક્ષાત સવિતા મળી રે, આપ્યો છે વર તમને વળી રે ।।૮।।

સૂર્યનારાયણ થઇ રાજી રે, રહ્યા હૃદય તમારે વિરાજી રે ।

તમે નારાયણ સુખકારી રે, નિરલેપ ને નિરવિકારી રે ।।૯।।

એવા સમર્થ છો સત્ય વાત રે, માટે કહું છું તમને તાત રે ।

બીજા સર્વે સંત છે આ સારા રે, પણ એને તો રાખવા ન્યારા રે ।।૧૦।।

બીજા બ્રહ્મચારી સંત સોઇ રે, નારીવાત સાંભળશે કોઇ રે ।

થાશે ભ્રષ્ટ જાશે નરક માંઇ રે, તેમાં ફેર મ જાણશો કાંઇ રે ।।૧૧।।

માટે રક્ષા તે કરજયો એની રે, હોય આશ્રિત તમારા તેની રે ।

દ્રવ્ય નારીથી ઉગારી લેજયો રે, એવી શિખામણ નિત્ય દેજયો રે ।।૧૨।।

કહું સાંભળજયો સહુ જન રે, એમ મનાવ્યું ગુરૂએ વચન રે ।

ઇચ્છા નથી ઉર માંહિ જેની રે, વાત મનાવી સ્વામીએ તેની રે ।।૧૩।।

જયારે આગન્યા માની એ શુદ્ધ રે, ત્યારે સ્વામી બોલ્યા વિશુદ્ધ રે ।

સર્વે સંતને કહ્યું બોલાવી રે, સાંભળો શિષ્ય સર્વે આવી રે ।।૧૪।।

આ શ્રીનારાયણમુનિ જે છે રે, આજથી મારે ઠેકાણે રહેછે રે ।

માનજયો સહુ આનાં વચન રે, જેહ આશ્રિત હો મારા જન રે ।।૧૫।।

ત્યારે સર્વે જને જોડ્યા હાથ રે, સારૂં માન્યું અમે મારા નાથ રે ।

ત્યારે હરિ પોતે ઉભા થયા રે, ગુરૂ આગે હાથ જોડી રહ્યા રે ।।૧૬।।

ત્યારે સ્વામી કહે હું છું પ્રસન્ન રે, માગો મુજ પાસેથી વચન રે ।

એવી બ્રહ્માંડે વસ્તુ ન કાંય રે, જે માગો ને અમે ન અપાય રે ।।૧૭।।

અતિહેત ભર્યાં સુખ વદન રે, એવાં સુણ્યાં સ્વામીનાં વચન રે ।

પછી બોલ્યા છે ર્વિણરાટ રે, સ્વામી પ્રસન્ન જાણ્યા તે માટ રે ।।૧૮।।

સ્વામી વર દેવા યોગ્ય જો હોઉં રે, તો કરજોડી તમને કહું રે ।

માગું પ્રથમ એ ગુરુરાય રે, કૃષ્ણચરણકંજે પ્રીતિ થાય રે ।।૧૯।।

વળી હરિજનને હોય દુઃખ રે, થાય મને એ ભોગવે સુખ રે ।

કૃષ્ણભક્ત જો પૂર્વને કર્મે રે, અન્ન વસ્ત્ર પામે પરિશ્રમે રે ।।૨૦।।

એનું કષ્ટ આવે મુજમાંય રે, એહ સુખમાં રહે સદાય રે ।

રૂડી હરિકથા હરિજન રે, તેનો સંગ દેજયો નિશદન રે ।।૨૧।।

વળી હરિના ગુણને વિષે રે, મારી વાણી તે રહેજયો હમેશ રે ।

કૃષ્ણકથામાં રહેજયો આ કાન રે, હરિસેવામાં હાથ નિદાન રે ।।૨૨।।

હરિસ્મૃતિમાં મારૂં મન રે, માગું છું હું રહેજયો નિશદન રે ।

કૃષ્ણદર્શનમાંઇ મારાં નેણ રે, માગું છું હું રહેજયો દિન રેણ રે ।।૨૩।।

દેહ અંતઃકરણ ક્રિયાય રે, નિત્ય હરિની ભગતિ થાય રે ।

એહ માગ્યું તે દેજયો ઉમંગે રે, કેદિ રાખશો માં દુષ્ટ સંગે રે ।।૨૪।।

એટલા વર મુજને દેજયો રે, મારી પ્રાર્થના સુણિ લેજયો રે ।

એવું સુણી બોલ્યા ગુરૂ વાણી રે, શુદ્ધ આશયવાળા શિષ્ય જાણી રે ।।૨૫।।

કહું મનોરથ જે તમારો રે, નિશ્ચય પુરો થાશે ઉર ધારો રે ।

એવો વર વરણિને આપી રે, રાખ્યા પોતાને ઠેકાણે સ્થાપી રે ।।૨૬।।

પછી શિષ્ય લઇ નિજસાથ રે, આવ્યા ગામ ફણેણિયે નાથ રે ।

તેદિ હતો એકાદશી દન રે, કર્યો ઉત્સવ સહુ મળી જન રે ।।૨૭।।

દ્વાદશીયે સંત વિપ્રજન રે, તેને કરાવિયાં છે ભોજન રે ।

આપ્યાં વિપ્રને સુંદર દાન રે, કર્યાં ભદ્રાનદીમાંહી સ્નાન રે ।।૨૮।।

બેઠા એકાંત્યે પદ્મઆસને રે, કૃષ્ણમૂરતિ ચિંતવી મને રે ।

કરી સમાધિ કૃષ્ણમાં રઇ રે, ત્યારે દેહની વિસ્મૃતિ થઇ રે ।।૨૯।।

પછી શ્રીકૃષ્ણ ઇચ્છાએ કરી રે, ઉધ્ધવજીએ દેહ પ્રહરી રે ।

ગયા વિશાળા પ્રત્યે તે વળી રે, પૂવેર્હતી તેવી દેહ મળી રે ।।૩૦।।

પામ્યા સિદ્ધદેહ તેહ વાર રે, કૃષ્ણ ભક્તિ કરવા નિરધાર રે ।

સંવત્ અઢાર વર્ષ અઠાવન રે, માગશરશુદી તેરશ દન રે ।।૩૧।।

વાર દેવગુરૂ દન જાણો રે, મુક્યું તન તેદિ પરમાણો રે ।

જન કરતાં હતાં કીર્તન રે, તેને જણાણું તજીયું તન રે ।।૩૨।।

જોઇ નાડી ચાલતાં ન જાણી રે, ત્યારે જનને આવ્યાં આંખ્યે પાણી રે ।

મળી જન કરે સહુ શોક રે, કહે તજયું ઉદ્ધવે આ લોક રે ।।૩૩।।

જાણ્યું સહુએ હરિધામ ગયા રે, એવું સુણિને વ્યાકુળ થયા રે ।

રૂવે જન નેણે ભરી નીર રે, કોઇ ધરી શકે નહિ ધીર રે ।।૩૪।।

હાવભાવ હસવું સંભારી રે, મિઠી બોલની મનમાં ધારી રે ।

મનોહર મૂરતિ વિચારી રે, બહુ રૂવે છે નર ને નારી રે ।।૩૫।।

વળી વરણિઆદિ જે સંત રે, સર્વે શોકાતુર છે અત્યંત રે ।

પછી નાહિને આવ્યા જે જન રે, લાવ્યા અબીર ગુલાલ ચંદન રે ।।૩૬।।

પૂજા ને વંદના બહુ વિધિ રે, શાસ્ત્ર પ્રમાણે સર્વે કિધિ રે ।

પછી કરી સુંદર વિમાન રે, તેમાં તન બેસાર્યું નિદાન રે ।।૩૭।।

લઇ ચાલ્યા ભદ્રાનદી કાંઠે રે, વિપ્ર વિષ્ણુસૂક્ત કરી પાઠે રે ।

ઝાંઝ મૃદંગે ગાય છે જન રે, ગાયામાંહિ થાય છે રુદન રે ।।૩૮।।

પછી ભદ્રાવતી તીરે ગિયા રે, શોધી સુંદર ભૂમિકા તિયાં રે ।

તિયાં ઉતારી વિમાન જન રે, લાવ્યાં તુલસી પિપળો ચંદન રે ।।૩૯।।

એહ કાષ્ટતણું ચિતા રચ્યું રે, નવરાવી તને ઘી ચરચ્યું રે ।

ચિતામાં પધરાવ્યું તે વાર રે, કર્યો કૃષ્ણે અગ્નિસંસ્કાર રે ।।૪૦।।

બહુ ઘૃત હોમી બાળી દેહ રે, નાખી વાની જળમાંહિ તેહ રે ।

સર્વે શાસ્ત્રવિધિ કરી સ્નાન રે, આવ્યા સર્વ સંત નિજસ્થાન રે ।।૪૧।।

પછી તેદિ ઉપવાસ કરી રે, બીજે દિવસે લખી પતરી રે ।

સુણી સર્વે સાધુ હરિજન રે, અતિ વ્યાકુળ થયા છે મન રે ।।૪૨।।

કર્યાં સ્નાન તજયાં ઘરકામ રે, મળી આવ્યાં છે ફણેણિ ગામ રે ।

નયણે વરસેછે આંસુની ધાર રે, સ્વામીમાંહિ છે સ્નેહ અપાર રે ।।૪૩।।

ઘડિ ઘડિનાં સુખ સંભારે રે, તેણે આંખમાં આંસુડાં ઝરે રે ।

લુઇ લુઇને નાખે છે નીર રે, અતિ શોકે છે મન અધીર રે ।।૪૪।।

બ્રહ્મભાવને પામ્યા ઉદ્ધવ રે, કરવો શોક તેનો અસંભવ રે ।

તોય સમતો નથી તનતાપ રે, કરે વિયોગમાંહિ વિલાપ રે ।।૪૫।।

તેને જોઇ નારાયણમુનિ રે, કરે છે મનુવાર સહુની રે ।

આપી ધિરજય ઉતાર્યા જન રે, એમ કરતાં થયો બીજો દન રે ।।૪૬।।

તે દિવસથી તેરમા સુધી રે, વાંચી ગીતા તે વિપ્ર સુબુદ્ધિ રે ।

શાસ્ત્રવિધિએ કહ્યું જે અન્ન રે, તેનું કયુર્ં છે સહુએ ભોજન રે ।।૪૭।।

પાળવાનું પાળ્યું શ્રાદ્ધ કીધું રે, દાન દેવાનું તે દાન દીધું રે ।

કર્યું બારમું જેમ ઘટિત રે, જમાડ્યા વાડવ કરી પ્રીત્ય રે ।।૪૮।।

તેરમે ત્રીશ વરણિ સાથ રે, જમાડી આપ્યાં વસ્ત્ર તે હાથ રે ।

પછી આવ્યા હતા હરિજન રે, તેને પણ કરાવ્યાં ભોજન રે ।।૪૯।।

વળી એહ ગામના રહેનાર રે, તેહ પણ જમ્યા નરનાર રે ।

પછી સવેર્મળી હરિજન રે, કર્યું કૃષ્ણદેવનું પૂજન રે ।।૫૦।।

સુંદર વસ્ત્ર ઘરેણાં પેરાવી રે, પૂજયા મહારાજને પ્રેમ લાવી રે ।

ગીતાના વાંચનારાને વળી રે, આપ્યાં વસ્ત્ર દ્રવ્ય સહુએ મળી રે ।।૫૧।।

યથા યોગ્ય ક્રિયા સર્વે કિધિ રે, જેમ કહી છે શાસ્ત્રમાં વિધિ રે ।

તેના ખરચતણું જે ધન રે, ભરી આપ્યું મળી સહુ જન રે ।।૫૨।।

નિજ પોચ પ્રમાણે સહુ ગૃહસ્થે રે, ખરચ ઉપાડી લીધું સમસ્તે રે ।

થયો ઉત્સવ પૂરણ જયારે રે, દિન ચૌદમો થયો છે ત્યારે રે ।।૫૩।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીએ નારાયણમુનિને ધર્મધુર સોંપીને દેહત્યાગ કર્યો એ નામે સુડતાલીસમું પ્રકરણમ્ ।।૪૭।।