વચનવિધિ કડવું - ૩૩

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:32pm

મનમુખી દુઃખી ભેળા થાય જયારેજી, પરસ્પર નર કરે વાત ત્યારેજી;
હું તો નીસર્યો વચનથી બા’રેજી, સર્વ અંગે સુખ પામ્યો તે વારેજી.

સુખ પામ્યો સાંકડ્ય ટળી, નીસર્યો બંધનથી બારણે ।।
કૈક ઉપાય કર્યા’તા કહું છું, મુજને રાખવા કારણે ।। ર ।।

ડાહ્યા સાધુએ આપ ડા’પણે, વળી રાખ્યો’તો મને રોકીને ।।
પણ કેણ ન માન્યું મેં કોઈનું, આવ્યો હું મંડળી મૂકીને ।। ૩ ।।

માહાત્મ્ય મહિમા મોટપ્ય દેખાડી, જકડી બાંધ્યો’તો મારા જીવને ।।
નીસર્યાનું નો’તું બારણું, કોણ જાણે કર્યું કેમ દૈવને ।। ૪ ।।

ઠામોઠામ મારા ઠાઉકા, ઓડા બાંધ્યા’તા અતિ ઘણા ।।
પાસલામાં મને પાડવા, રાખી નો’તી કાંઈ મણાં ।। પ ।।

પણ સમો જોઈને હું સબકયો, પાછો ખોળતાં ખોજ નવ જડ્યો ।।
ઝાઝી જતન રાખતાં પણ, એના પેચમાં હું નવ્ય પડ્યો ।। ૬ ।।

અર્ધી રાતે હું ઊઠિયો, લખ્યાં હતાં તે પુસ્તક લઈને ।।
સુતાં મૂકી હું સહુને વળી, આવ્યો છું દાંતુંમાં  દઈને ।। ૭ ।।

એમ વિમુખ જન કરે વડાઈ, વિમુખ જનને આગળ્યે ।।
નિષ્કુળાનંદ કહે નિશ્ચે જેને, જાવું છે જમની ભાગળ્યે ।। ૮ ।।