અધ્યાય - ૪૪ - શિક્ષાપત્રી.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 9:18pm

અધ્યાય - ૪૪ - શિક્ષાપત્રી.

ફુલડોલનો ઉત્સવ કરવા અમદાવાદ શહેરમાં ભગવાન શ્રીહરિનું આગમન. કમીયાળા ગામે(ભાલપ્રદેશમાં) રામનવમી ઉત્સવની ઉજવણી. શ્રીહરિનું ધોલેરાપુરે આગમન. ધોલેરામાં મદનમોહનજી મહારાજની પ્રાણપ્રતિષ્ઠા.

वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि । वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये ।। १

लिखामि सहजानन्दस्वामी सर्वान्निजाश्रितान् । नानादेशस्थितान् शिक्षापत्रीं वृत्तालयस्थितः ।। २

भ्रात्रो रामप्रतापेच्छारामयोर्धर्मजन्मनोः । यावयोध्याप्रसादाख्यरघुवीराभिधौ सुतौ ।। ३

मुकुन्दानन्दमुख्याश्च नैष्ठिका ब्रह्मचारिणः । गृहस्थाश्च मयारामभट्टाद्या ये मदाश्रयः ।। ४

सधवा विधवा योषा याश्च मच्छिष्यतां गताः । मुक्तानन्न्दादयो ये स्युः साधवश्चाखिला अपि ।। ५

स्वधर्मरक्षिका मे तैः सर्वैर्वाच्याः सदाशिषः । श्रीमन्नारायणस्मृत्या सहिताः शास्त्रसम्मताः ।। ६

શિક્ષાપત્રીને લખતા શ્રીસહજાનંદ સ્વામી પ્રથમ મંગલાચરણ કરતાં લખે છે. હું જે તે મારા હૃદયને વિષે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું, તે શ્રીકૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષઃસ્થલને વિષે લક્ષ્મીજી રહ્યાં છે, અને વૃંદાવનને વિષે વિહારના કરનારા છે.૧

અને વૃત્તાલય ગામને વિષે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિષે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએે છીએ.૨

શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઇ રામપ્રતાપજી તથા ઇચ્છારામજી, તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ નામે અને રઘુવીર નામે જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિષે સ્થાપન કર્યા છે.૩

તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી.૪

તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઇઓ તથા મુક્તાનંદ આદિક જે સર્ર્વે સાધુ.૫

એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિષે પ્રમાણરૂપ અને શ્રીમન્નનારાયણની સ્મૃતિએે સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા.૬

एकाग्रेणैव मनसा पत्रीलेखः सहेतुकः । अवधार्योऽयमखिलैः सर्वजीवहितावहः ।। ७

ये पालयन्ति मनुजाः सच्छास्त्रप्रतिपादितान् । सदाचारान् सदा तेऽत्र परत्र च महासुखाः ।। ८

तानुल्लङ्घ्यात्र वर्तन्ते ये तु स्वैरं कुबुद्धयः । त इहामुत्र च महल्लभन्ते कष्टमेव हि ।। ९

अतो भवद्बिर्मच्छिष्यैः सावधानतयाऽखिलैः । प्रीत्यैतामनुसृत्यैव वर्तितव्यं निरन्तरम् ।। १०

અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું, અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે, તે સર્વેના જીવને હિતની કરનારી છે.૭

અને શ્રીમદ્બાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિષે ને પરલોકને વિષે મહાસુખિયા થાય છે.૮

અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે, તે તો કુબુદ્ધિવાળા છે અને તે આ લોક અને પરલોકને વિષે નિશ્ચે મોટા કષ્ટને જ પામે છે.૯

તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ.૧૦

कस्यापि प्राणिनो हिंसा नैव कार्यात्र मामकैः । सूक्ष्मयूकामत्कुणादेरपि बुद्धया कदाचन ।। ११

देवता पितृयागार्थमप्यजादेश्च हिंसनम् । न कर्तव्यमहिंसैव धर्मः प्रोक्तोऽस्ति यन्महान् ।। १२

स्त्रिया धनस्य वा प्राप्त्यै साम्राज्यस्यापि वा क्व चित् । मनुष्यस्य तु कस्यापि हिंसा कार्या न सर्वथा १३

आत्मधातस्तु तीर्थेऽपि न कर्तव्यश्च न क्रुधा । अयोग्याचरणात्क्वापि न विषोद्बन्धनादिना ।। १४

न भक्ष्यं सर्वथा मांसं यज्ञाशिष्टमपि क्वचित् । न पेयं च सुरामद्यमपि देवनिवेदितम् ।। १५

अकार्याचरणे क्वापि जाते स्वस्य परस्य वा । अङ्गच्छेदो न कर्तव्यः शस्त्राद्यैश्च क्रुधापि वा ।। १६

स्तेनकर्म न कर्तव्यं धर्मार्थमपि केनचित् । सस्वामिकाष्ठपुष्पादि न ग्राह्यं तदनाज्ञाया ।। १७

व्यभिचारो न कर्तव्यः पुम्भिः स्त्रीभिश्च मां श्रितैः । द्यूतादि व्यसनं त्याज्यं नाद्यं भङ्गादि मादकम् १८

अग्राह्यान्नेन पक्वं यदन्नं तदुदकं च न । जगन्नाथपुरं हित्वा ग्राह्यं कृष्णप्रसाद्यपि ।। १९

હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે :- અમારા જે સત્સંગી તેમણે કોઇ જીવપ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય પણ ન કરવી.૧૧

અને દેવતા અને પિતૃ તેમના યજ્ઞાને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માછલા આદિક કોઇ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે, એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે.૧૨

અને સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઇ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી.૧૩

અને આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો, ને ક્રોધે કરીને ન કરવો. અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો. અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઈત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો.૧૪

અને જે માંસ છે તે તો યજ્ઞાનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું, અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું.૧૫

અને ક્યારેક પોતાવતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજાવતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું.૧૬

અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ટ, પુષ્પ આદિક વસ્તુ, તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું.૧૭

અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગટુ આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો, અને ભાંગ, મફર, માજમ, ગાંજો આદિક જે કેફ કરનાર વસ્તુ તે ખાવી નહિ અને પીવી પણ નહિ.૧૮

અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદિ ચરણામૃતના માહાત્મ્યે કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું, અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહિ.૧૯

मिथ्यापवादः कस्मिंश्चिदपि स्वार्थस्य सिद्धये । नारोप्यो नापशब्दाश्च भाषणीयाः कदाचन ।। २०

देवतातीर्थविप्राणां साध्वीनां च सतामपि । वेदानां च न कर्तव्या निन्दा श्रव्या न च क्वचित् ।। २१

देवतायै भवेद्यस्यै सुरामांसनिवेदनम् । यत्पुरोऽजादिहिंसा च न भक्ष्यं तन्निवेदितम् ।। २२

दृा शिवालयादीनि देवागाराणि वर्त्मनि । प्रणम्यं तानि तद्देवदर्शनं कार्यमादरात् ।। २३

स्ववर्णाश्रमधर्मो यः स हातव्यो न केनचित् । परधर्मो न चाचर्यो न च पाषण्डकल्पितः ।। २४

कृष्णभक्तेः स्वधर्माद्वा पतनं यस्य वाक्यतः । स्यात्तन्मुखान्न वै श्रव्याः कथा वार्ताश्च वा प्रभोः ।। २५

स्वपरद्रोहजननं सत्यं भाष्यं न कर्हिचित् । कृतघ्नसङ्गस्त्यक्तव्यो लुञ्चा ग्राह्या न कस्यचित् ।। २६

चौरपापिव्यसनिनां सङ्गः पाषण्डिनां तथा । कामिनां च न कर्तव्यो जनवचनकर्मणाम् ।। २७

અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો, અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી.૨૦

અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી.૨૧

અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું.૨૨

અને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું.૨૩

અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઇ સત્સંગીએ ત્યાગ ન કરવો, અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું.૨૪

અને જેના વચનને સાંભળવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખથકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી.૨૫

અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું, અને જે કૃતઘ્ની હોય તેના સંગનો ત્યાગ કરવો, અને વ્યવહારકાર્યને વિષે કોઈની લાંચ ન લેવી.૨૬

અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કીમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો.૨૭

भक्तिं वा ज्ञानमालम्ब्य स्त्रीद्रव्यरसलोलुभाः । पापे प्रवर्तमानाः स्युः कार्यस्तेषां न सङ्गमः ।। २८

कृष्णकृष्णावताराणां खण्डनं यत्र युक्तिभिः । कृतं स्यात्तानि शास्त्राणि न मान्यानि कदाचन ।। २९

अगालितं न पातव्यं पानीयं च पयस्तथा । स्नानादि नैव कर्तव्यं सूक्ष्मजन्तुमयाम्भसा ।। ३०

यदौषधं च सुरया सम्पृक्तं पललेन वा । अज्ञातवृत्तवैद्येन दत्तं चाद्यं न तत्क्वचित् ।। ३१

स्थानेषु लोकशास्त्राभ्यां निषिद्धेषु कदाचन । मलमूत्रोत्सर्जनं च न कार्यं ष्ठीवनं तथा ।। ३२

अद्वारेण न निर्गम्यं प्रवेष्टव्यं न तेन च । स्थाने सस्वामिके वासः कार्योऽपृा न तत्पतिम् ।। ३३

અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપથકા પાપને વિષે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો.૨૮

અને જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય, એવાં જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવાં અને ન સાંભળવાં.૨૯

અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું, અને જે જળને વિષે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી.૩૦

અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઇએ તે વૈદ્યે આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું.૩૧

અને લોક ને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યાં એવાં સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર, વૃક્ષની છાયા તથા ફૂલવાડી-બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિષે મળમૂત્ર ન કરવું તથા થૂંકવું પણ નહિ.૩૨

અને ચોરમાર્ગે કરીને પેસવું નહિ અને નીસરવું નહિ, અને જે સ્થાનક ધણિયાતું હેાય તે સ્થાનકને વિષે તેના ધણીને પૂછયા વિના ઉતારો ન કરવો.૩૩

ज्ञानवार्ताश्रुतिर्नार्या मुखात्कार्या न पूरुषैः । न विवादः स्त्रिया कार्यो न राज्ञा न च तज्जनैः ।। ३४

अपमानो न कर्तव्यो गुरूणां च वरीयसाम् । लोके प्रतिष्ठितानां च विदुषां शस्त्रधारिणाम् ।। ३५

कार्यं न सहसा किञ्चित्कार्यो धर्मस्तु सत्वरम् । पाठनीयाऽधीतविद्या कार्यः सङ्गोऽन्वहं सताम् ।। ३६

गुरुदेवनृपेक्षार्थं न गम्यं रिक्तपाणिभिः । विश्वासघातो नो कार्यः स्वश्लाघा स्वमुखेन च ।। ३७

यस्मिन् परिहितेऽपि स्युर्दृश्यान्यङ्गानि चात्मनः । तद्दूष्यं वसनं नैव परिधार्यं मदाश्रितैः ।। ३८

धर्मेण रहिता कृष्णभक्तिः कार्या न सर्वथा । अज्ञानिन्दाभयान्नैव त्याज्यं श्रीकृष्णसेवनम् ।। ३९

उत्सवाहेषु नित्यं च कृष्णमन्दिरमागतैः । पुम्भिः स्पृश्या न वनितास्तत्र ताभिश्च पूरुषाः ।। ४०

અને અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમણે બાઇમાણસના મુખ થકી જ્ઞાનવાર્તા ન સાંભળવી, અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો.૩૪

અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું.૩૫

અને વિચાર્યા વિના તત્કાળ કોઇ કાર્ય ન કરવું, અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું, અને પોતે જે વિદ્યા ભણ્યા હોઇએ તે બીજાને ભણાવવી, અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો.૩૬

અને ગુરુ, દેવ, અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું, અને કોઇનો વિશ્વાસઘાત ન કરવો, અને પોતાના મુખે કરીને પોતાનાં વખાણ ન કરવાં.૩૭

અને જે વસ્ત્ર પહેર્યે થકે પોતાનાં અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું.૩૮

અને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઇ પ્રકારે ન કરવી, અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહિ.૩૯

અને ઉત્સવના દિવસને વિષે તથા નિત્ય પ્રત્યે શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિષે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો, તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો, અને મંદિરમાંથી નીસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું.૪૦

कृष्णदीक्षां गुरोः प्राप्तैस्तुलसीमालिके गले । धार्ये नित्यं चोर्घ्वपुण्ड्रं ललाटादौ द्विजातिभिः ।। ४१

तत्तु गोपीचन्दनेन चन्दनेनाथवा हरेः । कार्ये पूजावशिष्टेन केसरादियुतेन च ।। ४२

तन्मध्य एव कर्तव्यः पुण्ड्रद्रव्येण चन्द्रकः । कुंकुमेनाथवा वृत्तो राधालक्ष्मीप्रसादिना ।। ४३

सच्छूद्राः कृष्णभक्ता ये तैस्तु मालोर्ध्वपुण्ड्रके । द्विजातिवद्धारणीये निजधर्मेषु संस्थितैः ।। ४४

भक्तैस्तदितरैर्माले चन्दनादीन्धनोद्बवे । धार्ये कण्ठे ललाटेऽथ कार्यः केवलचन्द्रकः ।। ४५

અને ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણ ભગવાનની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી, અને લલાટ, હૃદય અને બે હાથ એ ચાર ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું.૪૧

અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું, અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું.૪૨

અને તે તિલકના મધ્યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો, અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો.૪૩

અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્ણના ભક્ત એવા જે સચ્છૂદ્ર તેમણે તો તુલસીની માળા અને ઊર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવાં.૪૪

અને તે સચ્છૂદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિષે ધારવી, અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું.૪૫

त्रिपुण्ड्ररुद्राक्षधृतिर्येषां स्यात्स्वकुलागता । तैस्तु विप्रादिभिः क्वापि न त्याज्या सा मदाश्रितैः ।। ४६

ऐकात्म्यमेव विज्ञोयं नारायणमहेशयोः । उभयोर्ब्रह्मरूपेण वेदेषु प्रतिपादनात् ।। ४७

शास्त्रोक्त आपद्धर्मो यः स त्वल्पापदि कर्हिचित् । मदाश्रितैर्मुख्यतया ग्रहीतव्यो न मानवैः ।। ४८

प्रत्यहं तु प्रबोद्धव्यं पूर्वमेवोदयाद्रवेः । विधाय कृष्णस्मरणं कार्यः शौचविधिस्ततः ।। ४९

उपविश्यैव चैकत्र कर्तव्यं दन्तधावनम् । स्नात्वा शुच्यम्बुना धौते परिधार्ये च वाससी ।। ५०

उपविश्य ततः शुद्ध आसने शुचिभूतले । असङ्कीर्ण उपस्पृश्यं प्राङ्मुखं वोत्तरामुखम् ।। ५१

અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બે વાનાં પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યાં આવ્યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય, તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો.૪૬

અને નારાયણ અને શિવજી એ બેયનું એકાત્મપણું જ જાણવું, કેમ જે વેદને વિષે એ બેયનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે.૪૭

અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ્ધર્મ તે અલ્પ આપત્કાળને વિષે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો.૪૮

અને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું, અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું.૪૯

અને પછી એક સ્થાનકને વિષે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું.૫૦

અને તે વાર પછી પવિત્ર પૃથ્વીને વિષે પાથર્યું અને શુદ્ધ ને કોઇ બીજા આસનને અડયું ન હોય અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિષે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું.૫૧

कर्तव्यमूर्घ्वपुण्ड्रं च पुम्भिरेव सचन्द्रकम् । कार्यः सधवनारीभिर्माले कुंकुमचन्द्रकः ।। ५२

पुण्ड्रं वा चन्द्रको भाले न कार्यो मृतनाथया । मर्नसा पूजनं कार्यं ततः कृष्णस्य चाखिलैः ।। ५३

प्रणम्य राधाकृष्णस्य लेख्यार्चां तत आदरात् । शक्तया जपित्वा तन्मत्रं कर्तव्यं व्यावहारिकम् ।। ५४

અને પછી સત્સંગી પુરુષમાત્રને ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું, અને સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિષે કુંકુમનો ચાંદલો કરવો.૫૨

અને તે વિધવા સ્ત્રીઓ એ પોતાના ભાલને વિષે તિલક ન કરવું, ને ચાંદલો પણ ન કરવો, અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યા જે ચંદનપુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી.૫૩

અને તે પછી શ્રીરાધાકૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રીકૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું.૫૪

ये त्वम्बरीषवद्बक्ताः स्युरिहात्मनिवेदिनः । तैश्च मानसपूजान्तं कार्यमुक्तक्रमेण वै ।। ५५

शैली वा धातुजा मूर्तिः शालग्रामोऽर्च्य एव तैः । द्रव्यैर्यथाप्तैः कृष्णस्य जप्योऽथाष्टाक्षरो मनुः ।। ५६

स्तोत्रादेरथ कृष्णस्य पाठः कार्यः स्वशक्तितः । तथानधीतगीर्वाणैः कार्यं तन्नामकीर्तनम् ।। ५७

हरेर्विधाय नैवेद्यं भोज्यं प्रासादिकं ततः । कृष्णसेवापरैः प्रीत्या भवितव्यं च तैः सदा ।। ५८

અને જે અમારા સત્સંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વ ક્રિયા કરવી.૫૫

અને તે જે આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયાં જે ચંદન, પુષ્પ, ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી, અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો.૫૬

અને તે પછી શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્ણ ભગવાનનું નામકીર્તન કરવું.૫૭

અને પછી શ્રીકૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું, અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વ કાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવાપરાયણ થવું.૫૮

प्रोक्तास्ते निर्गुणा भक्ता निर्गुणस्य हरेर्यतः । सम्बन्धात्तत्क्रियाः सर्वा भवन्त्येव हि निर्गुणाः ।। ५९

भक्तैरेतैस्तु कृष्णायानर्पितं वार्यपि क्वचित् । न पेयं नैव भक्ष्यं च पत्रकन्दफलाद्यपि ।। ६०

सर्वैरशक्तौ वार्धक्याग्दरीयस्यापदाथवा । भक्ताय कृष्णमन्यस्मै दत्त्वा वृत्यं यथाबलम् ।। ६१

आचार्येणैव दत्तं यद्यच्च तेन प्रतिष्ठितम् । कृष्णस्वरूपं तत्सेव्यं वन्द्यमेवेतरत्तु यत् ।। ६२

भगवन्मन्दिरं सर्वैः सायं गन्तव्यमन्वहम् । नामसङ्कीर्तनं कार्यं तत्रोच्चै राधिकापतेः ।। ६३

कार्यास्तस्य कथा वार्ताः श्रव्याश्च परमादरात् । वादित्रसहितं कार्यं कृष्णकीर्तनमुत्सवे ।। ६४

प्रत्यहं कार्यमित्थं हि सर्वैरपि मदाश्रितैः । संस्कृतप्राकृतग्रन्थाभ्यासश्चापि यथामति ।। ६५

અને નિર્ગુણ કહેતાં માયાના જે સત્ત્વાદિક ત્રણ ગુણ તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે, તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે.૫૯

અને એ જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું. અને પત્ર, કંદ, ફળાદિક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું.૬૦

અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઇ મોટા આપત્કાળે કરીને અસમર્થપણું થઇ જાય ત્યારે પોતે સેવવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું.૬૧

અને જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી.૬૨

અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું, અને તે મંદિરને વિષે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણભગવાન તેના નામનું ઉચ્ચસ્વરે કરીને કીર્તન કરવું.૬૩

અને તે શ્રીકૃષ્ણની જે કથાવાર્તા તે પરમ આદરથકી કરવી ને સાંભળવી. અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રીકૃષ્ણનાં કીર્તન કરવાં.૬૪

અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદ્ગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો.૬૫

यादृशैर्यो गुणैर्युक्तस्तादृशे स तु कर्मणि । योजनीयो विचार्यैव नान्यथा तु कदाचन ।। ६६

अन्नवस्त्रादिभिः सर्वे स्वकीयाः परिचारकाः । सम्भावनीयाः सततं यथायोग्यं यथाधनम् ।। ६७

यादृग्गुणो यः पुरुषस्तादृशा वचनेन सः । देशकालानुसारेण भाषणीयो न चान्यथा ।। ६८

गुरुभूपालवर्षिष्ठत्यागिविद्वत्तपस्विनाम् । अभ्युत्त्थानादिना कार्यः सन्मानो विनयान्यितैः ।। ६९

नोरौ कृत्वा पादमेकं गुरुदेवनृपान्तिके । उपवेश्यं सभायां च जानू बद्धवा न वाससा ।। ७०

विवादो नैव कर्तव्यः स्वाचार्येण सह क्वचित् । पूज्योऽन्नधनवस्त्राद्यैर्यथाशक्ति स चाखिलैः ।। ७१

तमायान्तं निशम्याशु प्रत्युग्दन्तव्यमादरात् । तस्मिन् यात्यनुगम्यं च ग्रामान्तावधि मच्छ्रितैः ।। ७२

अपि भूरिफलं कर्म धर्मापेतं भवेद्यदि । आचर्यं तर्हि तन्नैव धर्मः सर्वार्थदोऽस्ति हि ।। ७३

અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્યને વિષે જે યોગ્ય ન હોય તે કાર્યને વિષે તેને ક્યારેય ન પ્રેરવો.૬૬

અને પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નવસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી.૬૭

અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્ય બોલાવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો.૬૮

અને વિનયયુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ છ જણા આવે ત્યારે સન્મુખ ઊઠવું તથા આસન આપવું તથા મધુરે વચને બોલાવવું ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું.૬૯

અને ગુરુ, દેવ ને રાજા એમની સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું.૭૦

અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો, અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા.૭૧

અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું, અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું.૭૨

અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે, માટે કોઇક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો.૭૩

पूर्वैर्महद्बिरपि यदधर्माचरणं क्वचित् । कृतं स्यात्तत्तु न ग्राह्यं ग्राह्यो धर्मस्तु तत्कृतः ।। ७४

गुह्यवार्ता तु कस्यापि प्रकाश्या नैव कुत्रचित् । समदृष्या न कार्यश्च यथार्हार्चाव्यतिक्रमः ।। ७५

शेषनियमो धार्यश्चातुर्मास्येऽखिलैरपि । एकस्मिन् श्रावणे मासि स त्वशक्तैस्तु मानवैः ।। ७६

विष्णोः कथायाः श्रवणं वाचनं गुणकीर्तनम् । महापूजा मन्त्रजपः स्तोत्रपाठः प्रदक्षिणाः ।। ७७

साष्टाङ्गप्रणतिश्चेति नियमा उत्तमा मताः । एतेष्वेकतमो भक्तया धारणीयो विशेषतः ।। ७८

અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું, અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું.૭૪

અને કોઇની પણ જે ગુહ્યવાર્તા તે તો કોઇ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહિ, અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી જ રીતે સન્માન કરવું, પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ.૭૫

અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો.૭૬

અને તે વિશેષ નિયમ કયા, તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, તથા કથા વાંચવી, તથા ભગવાનના ગુણનું કિર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, તથા ભગવાનના મંત્રનો જપ કરવો, તથા સ્તોત્રનો પાઠ કરવો, તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી.૭૭

તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે તે માટે એ નિયમમાંથી કોઇ એક નિયમ જે તે ચોમાસાને વિષે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો.૭૮

एकादशीनां सर्वासां कर्तव्यं व्रतमादरात् । कृष्णजन्मदिनानां च शिवरात्रेश्च सोत्सवम् ।। ७९

उपवासदिने त्याज्या दिवा निद्रा प्रयत्नतः । उपवासस्तया नश्येन्मैथुनेनेव यन्नृणाम् ।। ८०

सर्ववैष्णवराजश्रीवल्लभाचार्यनन्दनः । श्रीविठ्लेशः कृतवान् यं व्रतोत्सवनिर्णयम् ।। ८१

कार्यास्तमनुसृत्यैव सर्व एव व्रतोत्सवाः । सेवारीतिश्च कृष्णस्य ग्राह्या तदुदितैव हि ।। ८२

कर्तव्या द्वारिकामुख्यतीर्थयात्रा यथाविधि । सर्वैरपि यथाशक्ति भाव्यं दीनेषु वत्सलैः ।। ८३

विष्णुः शिवो गणपतिः पार्वती च दिवाकरः । एताः पूज्यतया मान्या देवताः पञ्च मामकैः ।। ८४

भूताद्युपद्रवे क्वापि वर्म नारायणात्मकम् । जप्यं च हनुमन्मन्त्रो जप्यो न क्षुद्रदैवतः ।। ८५

रवेरिन्दोश्चोपरागे जायमानेऽपराः क्रियाः । हित्वाऽशुशुचिभिः सर्वैः कार्यः कृष्णमनोर्जपः ।। ८६

जातायामथ तन्मुक्तौ कृत्वा स्नानं सचेलकम् । देयं दानं गृहिजनैः शक्त्याऽन्यैस्त्वर्च्य ईश्वरः ।। ८७

जन्माशौचं मृताशौचं स्वसम्बन्धानुसारतः । पालनीयं यथाशास्त्रं चातुर्वर्ण्यजनैर्मम ।। ८८

भाव्यं शमदमक्षान्तिसन्तोषादिगुणान्वितैः । ब्राह्मणैः शौर्यधैर्यादिगुणोपेतैश्च बाहुजैः ।। ८९

वैश्येश्च कृषिवाणिज्यकुसीदमुखवृत्तिभिः । भवितव्यं तथा शूद्रैर्द्विजसेवादिवृत्तिभिः ।। ९०

અને સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસને વિષે મોટા ઉત્સવ કરવા.૭૯

અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. કેમ જે જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમજ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઇ જાય છે.૮૦

અને સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રીવલ્લભાચાર્ય તેમના પુત્ર જે શ્રીવિઠ્ઠલનાથજી તે જે તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હતા.૮૧

અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રત ને ઉત્સવ કરવા, અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્ણની સેવારીતિ તેનું જ ગ્રહણ કરવું.૮૨

અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી. અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિષે દયાવાન થવું.૮૩

અને અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ પાંચ દેવ જે તે પૂજ્યપણે કરીને માનવા.૮૪

અને જો ક્યારેક ભૂત-પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણકવચનો જપ કરવો અથવા હનુમાનના મંત્રનો જપ કરવો, પણ એ વિના બીજા કોઇ શૂદ્રદેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો.૮૫

ને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થાય ત્યારે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઇને શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો.૮૬

અને તે ગ્રહણ છૂટયા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું, અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી.૮૭

અને અમારા સત્સંગી એવા જે ચારે વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથા-શાસ્ત્ર પાળવું.૮૮

અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું, અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું.૮૯

અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું, અને જે શૂદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું.૯૦

संस्काराश्चाह्निकं श्राद्धं यथाकालं यथाधनम् । स्वस्वगृह्यानुसारेण कर्तव्यं च द्विजन्मभिः ।। ९१

अज्ञानाज्ज्ञानतो वापि गुरु वा लघु पातकम् । क्वापि स्यात्तर्हि तत्प्रायश्चित्तं कार्यं स्वशक्तितः ।। ९२

वेदाश्च व्याससूत्राणि श्रीमद्बागवताभिधम् । पुराणं भारते तु श्रीविष्णोर्नामसहस्रकम् ।। ९३

तथा श्रीभगवद्रीता नीतिश्च विदुरोदिता । श्रीवासुदेवमाहात्म्यं स्कान्दवैष्णवखण्डगम् ।। ९४

धर्मशास्त्रान्तर्गता च याज्ञावल्कयऋषेः स्मृतिः । एतान्यष्ट ममेष्टानि सच्छास्त्राणि भवन्ति हि ।। ९५

स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि । श्रोतव्यान्यथ पाठयानि कथनीयानि च द्विजैः ।। ९६

तत्राचारव्यवहृतिनिष्कृतानां च निर्णये । ग्राह्या मिताक्षरोपेता याज्ञावल्क्यस्य तु स्मृतिः ।। ९७

અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્યસૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી જેની ધનસંપત્તિ હોય તે પ્રમાણે કરવાં.૯૧

અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનુંમોટું પાપ થઇ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું.૯૨

અને ચાર વેદ, તથા વ્યાસસૂત્ર, તથા શ્રીમદ્બાગવત નામે પુરાણ, તથા મહાભારતને વિષે તો શ્રીવિષ્ણુસહસ્ત્રનામ.૯૩

તથા શ્રીભગવદ્ગીતા, તથા વિદૂરજીએ કહેલી જે નીતિ, તથા સ્કંદપુરાણનો જે વિષ્ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રીવાસુદેવમાહાત્મ્ય.૯૪

અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞાવલ્ક્ય ઋષિની સ્મૃતિ, એ જે આઠ સચ્છાસ્ત્ર તે અમને ઇષ્ટ છે.૯૫

અને પોતાના હિતને ઇચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ સચ્છાસ્ત્ર જે તે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્છાસ્ત્ર જે તે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી.૯૬

અને તે આઠ સચ્છાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞાવલ્ક્ય ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું.૯૭

श्रीमद्बागवतस्यैषु स्कन्धौ दशमपञ्चमौ । सर्वाधिकतया ज्ञोयौ कृष्णमाहात्म्यबुद्धये ।। ९८

दशमः पञ्चमः स्कन्धौ याज्ञावल्कयस्य च स्मृतिः । भक्तिशास्त्रं योगशास्त्रं धर्मशास्त्रं क्रमेण मे ।। ९९

शारीरकाणां भगवग्दीतायाश्चावगम्यताम् । रामानुजाचार्यकृतं भाष्यमाध्यात्मिकं मम ।। १००

एतेषु यानि वाक्यानि श्रीकृष्णस्य वृषस्य च । अत्युत्कर्षपराणि स्युस्तथाभक्तिविरागयोः ।। १०१

मन्तव्यानि प्रधानानि तान्येवेतरवाक्यतः । धर्मेण सहिता कृष्णभक्तिः कार्येति तद्रहः ।। १०२

અને વળી એ આઠ સચ્છાસ્ત્રને વિષે જે શ્રીમદ્-ભાગવત પુરાણ તેના દશમ ને પંચમ નામે જે બે સ્કંધ તે જે શ્રીકૃષ્ણ ભગવાનના માહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા.૯૮

અને દશમસ્કંધ તથા પંચમસ્કંધ તથા યાજ્ઞાવલ્ક્યની સ્મૃતિ એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે, કહેતાં દશમસ્કંધ તે ભક્તિશાસ્ત્ર છે અને પંચમસ્કંધ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞાવલ્ક્યની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે. એમ જાણવું.૯૯

અને શ્રી રામાનુજાચાર્યે કર્યું એવું જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રીભગવદ્ગીતાનું ભાષ્ય, એ જે બે તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું.૧૦૦

અને એ સર્વે સચ્છાસ્ત્રને વિષે જે વચન તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતાં હોય.૧૦૧

તે વચન જે તે બીજાં વચન કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ તે જે તે ધર્મ સહિત જ કરવી એવી રીતે તે સર્વે સચ્છાસ્ત્રનું રહસ્ય છે.૧૦૨

धर्मो ज्ञोयः सदाचारः श्रुतिस्मृत्युपपादितः । माहात्म्यज्ञानयुग्मभूरिस्नेहो भक्तिश्च माधवे ।। १०३

वैराग्यं ज्ञोयमप्रीतिः श्रीकृष्णेतरवस्तुषु । ज्ञानं च जीवमायेशरूपाणां सुष्ठु वेदनम् ।। १०४

हृत्स्थोऽणुसूक्ष्मश्चिद्रूपो ज्ञाता व्याप्याखिलां तनुम् । ज्ञानशक्तया स्थितो जीवो ज्ञोयोऽच्छेद्यादिलक्षणः१०५

त्रिगुणात्मा तमः कृष्णशक्तिर्देहतदीययोः । जीवस्य चाहंमताहेतुर्मायाऽवगम्यताम् ।। १०६

हृदये जीववज्जीवे योऽन्तर्यामितया स्थितः । ज्ञोयः स्वतन्त्र ईशोऽसौ सर्वकर्मफलप्रदः ।। १०७

અને શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો. અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે માહાત્મ્યજ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી.૧૦૩

અને શ્રીકૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્ય જાણવો. અને જીવ, માયા, અને ઇશ્વર તેમના સ્વરૂપને જે રૂડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ.૧૦૪

અને જીવ છે તે હૃદયને વિષે રહ્યો છે, ને અણુ સરખો સૂક્ષ્મ છે, ને ચૈતન્યરૂપ છે, ને જાણનારો છે, અને પોતાની જ્ઞાનશક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે. અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિક છે લક્ષણ જેનાં એવો જીવ છે, એમ જાણવું.૧૦૫

અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે, ને અંધકારરૂપ છે, ને શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિ છે, અને આ જીવને દેહ તથા દેહનાં જે સંબંધી તેમને વિષે અહંમમત્વની કરાવનારી છે, એમ માયાને જાણવી.૧૦૬

અને જે ઇશ્વર છે તે જે તે જેમ હૃદયને વિષે જીવ રહ્યો છે, એમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઇશ્વરને જાણવા.૧૦૭

स श्रीकृष्णः परंब्रह्म भगवान् पुरुषोत्तमः । उपास्य इष्टदेवो नः सर्वाविर्भावकारणम् ।। १०८

स राधया युतो ज्ञोयो राधाकृष्ण इति प्रभुः । रुक्मिण्या रमयोपेतो लक्ष्मीनारायणः स हि ।। १०९

ज्ञोयोऽर्जुनेन युक्तोऽसौ नरनारायणाभिधः । बलभद्रादियोगेन तत्तन्नामोच्यते स च ।। ११०

एते राधादयो भक्तास्तस्य स्युः पार्श्वतः क्वचित् । क्वचित्तदङ्गेऽतिस्नेहात्स तु ज्ञोयस्तदैकलः ।। १११

अतश्चास्य स्वरूपेषु भेदो ज्ञोयो न सर्वथा । चतुरादिभुजत्वं तु द्विबाहोस्तस्य चैच्छिकम् ।। ११२

અને તે ઇશ્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે ઇશ્વર છે, અને તે શ્રીકૃષ્ણ જે તે આપણા ઇષ્ટદેવ છે, ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વે અવતારના કારણ છે.૧૦૮

અને સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે તે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે "રાધાકૃષ્ણ" એવે નામે જાણવા, અને રૂક્મિણી રૂપ જે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે "લક્ષ્મીનારાયણ" એવે નામે જાણવા.૧૦૯

અને એ શ્રીકૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય, ત્યારે "નરનારાયણ" એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્ણ જે તે બલભદ્રાદિકને યોગે કરીને તે તે નામે કહેવાય છે એમ જાણવું.૧૧૦

અને એ જે રાધાદિક ભક્ત તે જે તે ક્યારેક તો તે શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે, અને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના અંગને વિષે રહે છે, ત્યારે તો તે શ્રીકૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા.૧૧૧

એ હેતુ માટે એ શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્વરૂપ તેમને વિષે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો, અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્ણ તેમની ઇચ્છાએ કરીને છે, એમ જાણવું.૧૧૨

तस्यैव सर्वथा भक्तिः कर्तव्या मनुर्जैर्भुवि । निःश्रेयसकरं किञ्चित्ततोऽन्यन्नेति दृश्यताम् ।। ११३

गुणिनां गुणवत्ताया ज्ञोयं ह्येतत्परं फलम् । कृष्णे भक्तिश्च सत्सङ्गोऽन्यथा यान्ति विदोऽप्यधः ।। ११४

कृष्णस्तदवताराश्च ध्येयास्तत्प्रतिमापि च । न तु जीवा नृदेवाद्या भक्ता ब्रह्मविदोऽपि च ।। ११५

અને એવા જે તે શ્રીકૃષ્ણ ભગવાન, તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિષે સર્વ મનુષ્ય તેમણે કરવી, અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઇ નથી એમ જાણવું.૧૧૩

અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાન-પણાનું એ જ પરમ ફળ જાણવું, કયું તો જે શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ભક્તિ કરવી ને સત્સંગ કરવો, અને એમ ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે.૧૧૪

અને શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે, તથા શ્રીકૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું, અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું.૧૧૫

निजात्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणम् । विभाव्य तेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा ।। ११६

श्रव्यः श्रीमद्बागवतदशमस्कन्ध आदरात् । प्रत्यहं वा सकृद्वर्षे वर्षे वाच्योऽथ पण्डितैः ।। ११७

कारणीया पुरश्चर्या पुण्यस्थानेऽस्य शक्तितः । विष्णुनामसहस्रादेश्चापि कार्येप्सितप्रदा ।। ११८

दैव्यामापदि कष्टायां मानुष्यां वा गदादिषु । यथा स्वपररक्षा स्यात्तथा वृत्त्यं न चान्यथा ।। ११९

देशकालवयोवित्तजातिशक्त्यनुसारतः । आचारो व्यवहारश्च निष्कृतं चावधार्यताम् ।। १२०

અને સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિષે કરવી.૧૧૬

અને શ્રીમદ્બાગવતપુરાણનો જે દશમસ્કંધ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો, અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો અને પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો.૧૧૭

અને એ જે દશમસ્કંધ તેનું પુરશ્ચરણ જે તે પુણ્ય સ્થાનકને વિષે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું, અને વળી વિષ્ણુસહસ્રનામ આદિક જે સચ્છાસ્ત્ર તેનું પુરશ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું, તે પુરશ્ચરણ કેવું છે તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે.૧૧૮

અને કષ્ટની દેનારી એવી કોઇ દેવસંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિષે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું પણ બીજી રીતે ન વર્તવું.૧૧૯

અને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે ત્રણવાનાં તે જે તે દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવાં.૧૨૦

मतं विशिष्टाद्वैतं मे गोलोको धाम चेप्सितम् । तत्र ब्रह्मात्मना कृष्णसेवा मुक्तिश्च गम्यताम् ।। १२१

एते साधारणा धर्माः पुंसां स्त्रीणां च सर्वतः । मदाश्रितानां कथिता विशेषानथ कीर्तये ।। १२२

અને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે, એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું, અને તે ધામને વિષે બ્રહ્મરૂપે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું.૧૨૧

અને આ જે પૂર્વે સર્વ ધર્મ કહ્યા, તે જે તે અમારા આશ્રિત જે ત્યાગી, ગૃહસ્થ, બાઇ, ભાઇ સર્વ સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે, કહેતાં સર્વ સત્સંગી માત્રને સરખા પાળવાના છે. અને એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક્ પૃથક્ પણે કરીને કહીએ છીએ.૧૨૨

मज्ज्येष्ठावरजभ्रातृसुताभ्यां तु कदाचन । स्वासन्नसम्बन्धहीना नोपदेश्या हि योषितः ।। १२३

न स्प्रष्टव्याश्च ताः क्वापि भाषणीयाश्च ता न हि । क्रौर्यं कार्यं न कस्मिंश्चिन्न्यासो रक्ष्यो न कस्यचित् १२४

प्रतिभूत्वं न कस्यापि कार्यं च व्यावहारिके । भिक्षयाऽपदतिक्रम्य न तु कार्यमृणं क्वचित् ।। १२५

स्वशिष्यार्पितधान्यस्य कर्तव्यो विक्रयो न च । जीर्णं दत्वा नवीनं तु ग्राह्यं तन्नैष विक्रयः ।। १२६

भाद्रशुक्लचतुर्थ्यां च कार्यं विघ्नेशपूजनम् । इषकृष्णचतुर्दश्यां कार्याऽर्चा च हनूमतः ।। १२७

मदाश्रितानां सर्वेषां धर्मरक्षणहेतवे । गुरुत्वे स्थापिताभ्यां च ताभ्यां दीक्ष्या मुमुक्षवः ।। १२८

यथाधिकारं संस्थाप्याः स्वे स्वे धर्मे निजाश्रिताः । मान्याः सन्तश्च कर्तव्यः सच्छास्त्राभ्यास आदरात् ।। १२९

मया प्रतिष्ठापितानां मन्दिरेषु महत्सु च । लक्ष्मीनारायणादीनां सेवा कार्या यथाविधि ।। १३०

भगवन्मन्दिरं प्राप्तो योऽन्नार्थी कोऽपि मानवः । आदरात्स तु सम्भाव्यो दानेनान्नस्य शक्तितः ।। १३१

संस्थाप्य विप्रं विद्वांसं पाठशालां विधाप्य च । प्रवर्तनीया सद्विद्या भुवि यत्सुकृतं महत् ।। १३२

(હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ.) અમારા મોટાભાઇ અને નાનાભાઇ તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ ક્યારેય ન કરવો.૧૨૩

અને તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહિ, અને તે સાથે બોલવું નહિ, અને કોઇ જીવને વિષે ક્રૂરપણું ન કરવું, અને કોઇની થાપણ ન રાખવી.૧૨૪

અને વ્યવહાર કાર્યને વિષે કોઈની પણ જમાનગીરી ન કરવી, અને કોઇ આપત્કાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્કાળને ઉલ્લંઘવો પણ કોઇનું કરજ તો ક્યારેય ન કરવું.૧૨૫

અને પોતાના જે શિષ્ય તેમણે ધર્મ નિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહિ, અને તે અન્ન જૂનું થાય તો તે જુનું કોઇકને દઇને નવું લેવું, અને એવી રીતે જે જૂનાનું નવું કરવું તે વેચ્યું ન કહેવાય.૧૨૬

અને ભાદરવા શુદિ ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી, તથા આસો વદિ ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી.૧૨૭

અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુ જનને દીક્ષા આપવી.૧૨૮

અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિષે રાખવા અને સાધુને આદર થકી માનવા, તથા સચ્છાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો.૧૨૯

અને મોટાં જે મંદિર તેમને વિષે અમે સ્થાપન કર્યાં એવા શ્રીલક્ષ્મીનારાયણાદિક શ્રીકૃષ્ણનાં સ્વરૂપ તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી.૧૩૦

અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હરકોઇ અન્નાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી.૧૩૧

અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિષે સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે.૧૩૨

अथैतयोस्तु भार्याभ्यामाज्ञाया पत्युरात्मनः । कृष्णमन्त्रोपदेशश्च कर्तव्यः स्त्रीभ्य एव हि ।। १३३

स्वासन्नसम्बन्धहीना नरास्ताभ्यां तु कर्हिचित् । न स्प्रष्टव्या न भाष्याश्च तेभ्यो दर्श्यं मुखं न च १३४

અને હવે એ અયોધ્યાપ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ શ્રીકૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને ન કરવો.૧૩૩

અને વળી તે બે જણની જે પત્નીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો, અને તેમની સાથે બોલવું નહિ, ને એમને પોતાનું મુખ પણ ન દેખાડવું. (એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ છે તે કહ્યા.)૧૩૪

गृहाख्याश्रमिणो ये स्युः पुरुषा मदुपाश्रिताः । स्वासन्नसम्बन्धहीना न स्पृश्या विधवाश्च तैः ।। १३५

मात्रा स्वस्रा दुहित्रा वा विजने तु वयःस्थया । अनापदि न तैः स्थेयं कार्यं दानं न योषितः ।। १३६

प्रसङ्गो व्यवहारेण यस्याः केनापि भूपतेः । भवेत्तस्या स्त्रियाः कार्यः प्रसङ्गो नैव सर्वथा ।। १३७

अन्नाद्यैः शक्तितोऽभ्यर्च्यो ह्यतिथिस्तैर्गृहागतः । दैवं पित्र्यं यथाशक्ति कर्तव्यं च यथोचितम् ।। १३८

यावज्जीवं च शुश्रूषा कार्या मातुः पितुर्गुरोः । रोगार्तस्य मनुष्यस्य यथाशक्तिं च मामकैः ।। १३९

यथाशक्तयुद्यमः कार्यो निजवर्णाश्रमोचितः । मुष्कच्छेदो न कर्तव्यो वृषस्य कृषिवृत्तिभिः ।। १४०

यथाशक्ति यथाकालं सङ्ग्रहोऽन्नधनस्य तैः । यावद्वययं च कर्तव्यः पशुमद्बिस्तृणस्य च ।। १४१

गवादीनां पशूनां च तृणतोयादिभिर्यदि । सम्भावनं भवेत्स्वेन रक्ष्यास्ते तर्हि नान्यथा ।। १४२

ससाक्ष्यमन्तरा लेखं पुत्रमित्रादिनापि च । भूवित्तदानादानाभ्यां व्यवहार्यं न कर्हिचित् ।। १४३

कार्ये वैवाहिके स्वस्यान्यस्य वार्प्यधनस्य तु । भाषाबन्धो न कर्तव्यः ससाक्ष्यं लेखमन्तरा । १४४

(હવે ગૃહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ છે તે કહીએ છીએ.)અમારા આશ્રિત જે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો.૧૩૫

અને તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવાન અવસ્થાએ યુક્ત એવી જે પોતાની મા, બહેન અને દિકરી તે સંગાથે પણ આપત્કાળ વિના એકાંત સ્થળને વિષે ન રહેવું, અને પોતાની સ્ત્રીનું દાન કોઇને ન કરવું.૧૩૬

અને જે સ્ત્રીને કોઇ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઇ પ્રકારે પણ ન જ કરવો.૧૩૭

અને ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવો, અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું.૧૩૮

અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઇ મનુષ્ય તેમની જે સેવા તે જીવતપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી.૧૩૯

અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને કૃષિવૃત્તિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો.૧૪૦

અને તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્ન દ્રવ્યનો સંગ્રહ જે તે કરવો, અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્યપૂળાનો સંગ્રહ કરવો.૧૪૧

અને ગાય, બળદ, ભેંસ, ઘોડા આદિક જે પશુ તેમની તૃણ-જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવાં અને જો સંભાવના ન થાય તો ન રાખવાં.૧૪૨

અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી ને ધનના લેણેદેણે કરીને વ્યવહાર જે તે ક્યારેય ન કરવો.૧૪૩

અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી.૧૪૪

आयद्रव्यानुसारेण व्ययः कार्यो हि सर्वदा । अन्यथा तु महद्दुःखं भवेदित्यवधार्यताम् ।। १४५

द्रव्यस्याऽयो भवेद्यावान् व्ययो वा व्यावहारिके । तौ संस्मृत्य स्वयं लेख्यौ स्वक्षरैः प्रतिवासरम् १४६

निजवृत्त्युद्यमप्राप्तधनधान्यादितश्च तैः । अर्प्यौ दशांशः कृष्णाय विंशोऽशस्त्विह दुर्बलैः ।। १४७

एकादशीमुखानां च व्रतानां निजशक्तितः । उद्यापनं यथाशास्त्रं कर्तव्यं चिन्तितार्थदम् ।। १४८

कर्तव्यं कारणीयं वा श्रावणे मासि सर्वथा । बिल्वपत्रादिभिः प्रीत्या श्रीमहादेवपूजनम् ।। १४९

स्वाचार्यान्न ऋणं ग्राह्यं श्रीकृष्णस्य च मन्दिरात् । ताभ्यां स्वव्यवहारार्थे पात्रभूषांशुकादि च ।। १५०

અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો, અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે, તેને મોટું દુઃખ થાય છે, એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું.૧૪૫

અને પોતાના વ્યવહારને વિષે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેયને સંભારીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું.૧૪૬

અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધનધાન્યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરવો, અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્પણ કરવો.૧૪૭

અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું. તે ઉદ્યાપન કેવું છે તો મનવાંછિત ફળનું આપનારું છે.૧૪૮

અને શ્રાવણ માસને વિષે શ્રીમહાદેવજીનું પૂજન જે તે બિલ્વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું.૧૪૯

અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રીકૃષ્ણ ભગવાનનાં જે મંદિર તે થકી કરજ ન કાઢવું, અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રીકૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માગી લાવવાં નહિ.૧૫૦

श्रीकृष्णगुरुसाधूनां दर्शनार्थे गतौ पथि । तत्स्थानेषु च न ग्राह्यं परान्नं निजपुण्यहृत् ।। १५१

प्रतिज्ञातं धनं देयं यत्स्यात्तत्कर्मकारिणे । न गोप्यमृणशुद्धयादि व्यवहार्यं न दुर्जनैः ।। १५२

અને શ્રીકૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમનાં દર્શન કરવાને અર્થે જઈએ ત્યારે માર્ગને વિષે પારકું અન્ન ખાવું નહિ, તથા શ્રીકૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમનાં જે સ્થાનક તેમને વિષે પણ પારકું અન્ન ખાવું નહિ, કેમ જે તે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે, માટે પોતાની ગાંઠનું ખર્ચ ખાવું.૧૫૧

અને પોતાના કામકાજ કરવા તેડયા જે મજૂર તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું પણ તેમાંથી ઓછું ન આપવું અને પોતાપાસે કોઇ કરજ માગતો હોય ને તે કરજ દઇ ચુક્યા હોઇએ તે વાતને છાની ન રાખવી, તથા પોતાનો વંશ તથા કન્યાદાન એ પણ છાનું ન રાખવું, અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો.૧૫૨

दुष्कालस्य रिपूणां वा नृपस्योपद्रवेण वा । लज्जाधनप्राणनाशः प्राप्तः स्याद्यत्र सर्वथा ।। १५३

मूलदेशोऽपि स स्वेषां सद्य एव विचक्षणैः । त्याज्यो मदाश्रितैः स्थेयं गत्वा देशान्तरं सुखम् ।। १५४

आढयैस्तु गृहिभिः कार्या अहिंसा वैष्णवा मखाः । तीर्थेषु पर्वसु तथा भोज्या विप्राश्च साधवः ।। १५५

महोत्सवा भगवतः कर्तव्या मन्दिरेषु तैः देयानि पात्रविप्रेभ्यो दानानि विविधानि च ।। १५६

અને જે ઠેકાણે પોતે રહેતા હોઇએ તે ઠેકાણે કોઇક કઠણ ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય, કે પોતાના પ્રાણનો નાશ થતો હોય.૧૫૩

અને તે જો પોતાના મૂળ ગરાસનું તથા વતનનું ગામ હોય, તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમણે તત્કાળ ત્યાગ કરી દેવો અને જ્યાં ઉપદ્રવ ન હોય, તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઇને સુખેથી રહેવું.૧૫૪

અને ધનાઢય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞા તે કરવા તથા તીર્થને વિષે તથા દ્વાદશી આદિ પર્વને વિષે બ્રાહ્મણ તથા સાધુ તેમને જમાડવા.૧૫૫

અને ધનાઢય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્સવ કરાવવા, તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારનાં દાન દેવાં.૧૫૬

मदाश्रितैर्नृपैर्धर्मशास्त्रमाश्रित्य चाखिलाः । प्रजाः स्वाः पुत्रवत् पाल्या धर्मः स्थाप्यो धरातले ।। १५७

राज्याङ्गोपायषड्वर्गा ज्ञोयास्तीर्थानि चाञ्जसा । व्यवहारविदः सभ्या दण्डयादण्डयाश्च लक्षणैः ।।१५८

અને અમારા આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને આશરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું, અને પૃથ્વીને વિષે ધર્મનું સ્થાપન કરવું.૧૫૭

અને તે રાજા તેમણે રાજ્યનાં જે સાત અંગ તથા ચાર ઉપાય તથા છ ગુણ તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. અને તીર્થ જે ચાર મોકલ્યાનાં સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્ય જે માણસ તથા દંડવા યોગ્ય જે નહિ એવા જે માણસ એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા.૧૫૮

सभर्तृकाभिर्नारीभिः सेव्यः स्वपतिरीशवत् । अन्धो रोगी दरिद्रो वा षण्डो वाच्यं न दुर्वचः ।। १५९

रूपयौवनयुक्तस्य गुणिनोऽन्यनरस्य तु । प्रसङ्गो नैव कर्तव्यस्ताभिः साहजिकोऽपि च ।। १६०

नरेक्ष्यनाभ्यूरुकुचानुत्तरीया च नो भवेत् । साध्वी स्त्री नच भण्डेक्षा न निर्लज्जादिसङ्गिनी ।। १६१

भूषासदंशुकधृतिः परगेहोपवेशनम् । त्याज्यं हास्यादि च स्त्रीभिः पत्यौ देशान्तरं गते ।। १६२

(હવે સુવાસિની બાઇઓના વિશેષ ધર્મ તે કહીએ છીએ) અમારે આશ્રિત જે સુવાસિની બાઇઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરીદ્રી હોય, નપુંસક હોય, તો પણ તેને ઇશ્વરની પેઠે સેવવો, અને પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું.૧૫૯

અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે રૂપ અને યૌવન તેણે યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન જ કરવો.૧૬૦

અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી, સાથળ, અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું, અને ઓઢયાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું, અને ભાંડ ભવાઇ જોવા ન જવું, અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો.૧૬૧

અને સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ જાય ત્યારે આભૂષણ ન ધારવાં, ને રૂડાં વસ્ત્ર ન પહેરવાં. અને પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો.૧૬૨

विधवाभिस्तु योषाभिः सेव्यः पतिधिया हरिः । आज्ञायां पितृपुत्रादेर्वृत्यं स्वातन्त्र्यतो न तु ।। १६३

स्वासन्नसम्बन्धहीना नराः स्पृश्या न कर्हिचित् । तरुणैस्तैश्च तारुण्ये भाष्यं नावश्यकं विना ।। १६४

स्तनन्ध्यस्य नुः स्पर्शे न दोषोऽस्ति पशोरिव । आवश्यके च वृद्धस्य स्पर्शे तेन च भाषणे ।। १६५

विद्याऽनासन्नसम्बन्धात्ताभिः पाठया न कापि नुः । व्रतोपवासैः कर्तव्यो मुहुर्देहदमस्तथा ।। १६६

धनं च धर्मकार्येऽपि स्वनिर्वाहोपयोगि यत् । देयं ताभिर्न तत्क्वापि देयं चेदधिकं तदा ।। १६७

कार्यश्च सकृदाहारस्ताभिः स्वापस्तु भूतले । मैथुनासक्तयोर्वीक्षा क्वापि कार्या न देहिनोः ।। १६८

वेषो न धार्यस्ताभिश्च सुवासिन्याः स्त्रियास्तथा । न्यासिन्या वीतरागाया विकृतश्च न कर्हिचित् ।। १६९

सङ्गो न गर्भपातिन्याः स्पर्शः कार्यश्च योषितः । शृङ्गारवार्ता न नृणां कार्याः श्रव्या न वै क्वचित् ।। १७०

निजसम्बन्धिभिरपि तारुण्ये तरुणैर्नरैः । साकं रहसि न स्थेयं ताभिरापदमन्तरा ।। १७१

न होलाखेलनं कार्यं न भूषादेश्च धारणम् । न धातुसूत्रयुक्सूक्ष्मवस्त्रादेरपि कर्हिचित् ।। १७२

सधवाविधवाभिश्च न स्नतव्यं निरम्बरम् । स्वरजोदर्शनं स्त्रीभिर्गोपनीयं न सर्वथा ।। १७३

(હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ તે કહીએ છીએ.)અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિબુદ્ધિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા, અને પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિષે વર્તવું, પણ સ્વતંત્રપણે ન વર્તવું.૧૬૩

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો, અને પોતાની યુવાવસ્થાને વિષે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવાન પુરુષ તેમની સાથે ક્યારેય પણ બોલવું નહિ.૧૬૪

અને ધાવણો જે બાળક તેના સ્પર્શને વિષે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી, અને કોઇ અવશ્યનું કામકાજ પડે તેને વિષે કોઇક વૃદ્ધ પુરુષને અડી જવાય, તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોષ નથી.૧૬૫

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઇપણ વિદ્યા ન ભણવી, અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું.૧૬૬

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવતપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે ધર્મકાર્યને વિષે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું.૧૬૭

અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો, અને પૃથ્વીને વિષે સુવું, અને મૈથુનાસક્ત એવાં જે પશુ પક્ષી આદિક જીવ પ્રાણીમાત્ર તેમને ક્યારેય જાણીને જોવાં નહિ.૧૬૮

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસિની સ્ત્રીના જેવો વેષ ન ધારવો, તથા સંન્યાસણી તથા વેરાગણી તેના જેવો વેષ ન ધારવો, અને પોતાના દેશ, કુળ, અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેષ તે પણ ક્યારેય ન ધારવો.૧૬૯

અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો, ને તેનો સ્પર્શ પણ ન કરવો, અને પુરુષના શૃંગારરસ સંબંધી જે વાર્તા તે ક્યારેય ન કરવી, અને ન સાંભળવી.૧૭૦

અને યુવાઅવસ્થાને વિષે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્થળને વિષે આપત્કાળ પડયા વિના ન રહેવું.૧૭૧

અને હોળીની રમત ન કરવી, અને આભૂષણાદિકનું ધારણ ન કરવું, અને સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત એવાં જે ઝીણાં વસ્ત્ર તેનું ધારણ પણ ક્યારેય ન કરવું.૧૭૨

અને સુવાસિની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના ન્હાવું નહિ, અને પોતાનું જે રજસ્વલાપણું તે કોઇ પ્રકારે ગુપ્ત ન રાખવું.૧૭૩

मनुष्यं चांशुकादीनि नारी क्वापि रजस्वला । दिनत्रयं स्पृशेन्नैव स्नात्वा तुर्येऽह्नि सा स्पृशेत् ।। १७४

અને વળી રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ તે ત્રણ દિવસ સુધી કોઇ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહિ, અને ચોથે દિવસે નાહીને અડવું. (એવી રીતેગૃહસ્થાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જે આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમણે પણ પાળવા, કેમ કે એ ગૃહસ્થ છે.)૧૭૪

नैष्ठिकव्रतवन्तो ये वर्णिनो मदुपाश्रयाः । तैः स्पृश्या न स्त्रियो भाष्या न न वीक्ष्याश्च ता धिया ।। १७५

तासां वार्ता न कर्तव्या न श्रव्याश्च कदाचन । तत्पादचारस्थानेषु न च स्नानादिकाः क्रियाः ।। १७६

देवताप्रतिमां हित्वा लेख्या काष्ठादिजाऽपि वा । न योषित्प्रतिभा स्पृश्या न वीक्ष्या बुद्धिपूर्वकम् १७७

न स्त्रीप्रतिकृतिः कार्या न स्पृश्यं योषितोंऽशुकम् । न वीक्ष्यं मैथुनपरं प्राणिमात्रं च तैर्धिया ।। १७८

न स्पृश्यो नेक्षणीयश्च नारीवेषधरः पुमान् । न कार्यं स्त्रीः समुद्दिश्य भगवद्गुणकीर्तनम् ।। १७९

ब्रह्मचर्यव्रतत्यागपरं वाक्यं गुरोरपि । तैर्न मान्यं सदा स्थेयं धीरैस्तुष्टैरमानिभिः ।। १८०

स्वातिनैकटयमायान्ती प्रसभं वनिता तु या । निवारणीया साऽभाष्य तिरस्कृत्यापि वा द्रुतम् ।। १८१

प्राणापद्युपपन्नायां स्त्रीणां स्वेषां च वा क्वचित् । तदा स्पृापि तद्रक्षा कार्या सम्भाष्य ताश्च वा ।। १८२

तैलाभ्यङ्गो न कर्तव्यो न धार्यं चायुधं तथा । वेषो न विकृतो धार्यो जेतव्या रसना च तैः ।। १८३

परिवेषणकर्त्री स्याद्यत्र स्त्री विप्रवेश्मनि । न गम्यं तत्र भिक्षार्थं गन्तव्यमितरत्र तु ।। १८४

अभ्यासो वेदशास्त्राणां कार्यश्च गुरुसेवनम् । वर्ज्यः स्त्रीणामिव स्त्रैणपुंसां सङ्गश्च तैः सदा ।। १८५

चर्मवारि न वै पेयं जात्या विप्रेण केनचित् । पलाण्डुलशुनाद्यं च तेन भक्ष्यं न सर्वथा ।। १८६

स्नानं सन्ध्यां च गायत्रीजपं श्रीविष्णुपूजनम् । अकृत्वा वैश्वदेवं च कर्तव्यं नैव भोजनम् ।। १८७

(હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ.) અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો, અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ, અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવું નહિ.૧૭૫

અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી, અને ન સાંભળવી, અને જે સ્થાનકને વિષે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિષે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું.૧૭૬

અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા ચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તેનો સ્પર્શ ન કરવો, અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહિ.૧૭૭

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી, અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહિ, અને મૈથુનાસક્ત એવાં જે પશુપક્ષી આદિક પ્રાણીમાત્ર તેમને જાણીને જોવાં નહિ.૧૭૮

અને સ્ત્રીના વેષને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહિ, અને તેની સામું જોવું નહિ, અને તે સાથે બોલવું નહિ, અને સ્ત્રીનો ઉદ્દેશ કરીને ભગવાનની કથા, વાર્તા, કીર્તન પણ ન કરવાં.૧૭૯

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું, અને સદાકાળ ધીરજવાન રહેવું, અને સંતોષે યુક્ત રહેવું, અને માને રહિત રહેવું.૧૮૦

અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી પણ સમીપે આવવા દેવી નહિ.૧૮૧

અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપત્કાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી, અને પોતાની પણ રક્ષા કરવી.૧૮૨

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તૈલમર્દન ન કરવું, ને આયુધ ન ધારવું, ને ભયંકર એવો જે વેષ તે ન ધારવો, અને રસના ઇન્દ્રિયને જીતવી.૧૮૩

અને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહિ, ને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું.૧૮૪

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો, ને ગુરુની સેવા કરવી, ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો.૧૮૫

અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઇએ પણ ચર્મવારિ ન પીવું, અને ડુંગળી ને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય, તેણે કોઇ પ્રકારે ન ખાવું.૧૮૬

અને જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રીવિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલાં વાનાં કર્યા વિના ભોજન કરવું જ નહિ. (એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યા.૧૮૭

साधवो येऽथ तैः सर्वैर्नैष्ठिकब्रह्मचारिवत् । स्त्रीस्त्रैणसङ्गादि वर्ज्यं जेतव्याश्चान्तरारयः ।। १८८

सर्वेन्द्रियाणि जेयानि रसना तु विशेषतः । न द्रव्यसङ्ग्रहः कार्यः कारणीयो न केनचित् ।। १८९

न्यासो रक्ष्यो न कस्यापि धैर्ये त्याज्यं न कर्हिचित् । न प्रवेशयितव्या च स्वावासे स्त्री कदाचन १९०

न च सङ्घं विना रात्रौ चलितव्यमनापदि । एकाकिभिर्न गन्तव्यं तथा क्वापि विनापदम् ।। १९१

अनर्ध्ये चित्रितं वासः कुसुभाद्यैश्च रञ्जितम् । न धार्यं च महावस्त्रं प्राप्तमन्येच्छयापि तत् ।। १९२

(હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ.) અમારે આશ્રિત જે સર્વે સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો, તથા સ્ત્રૈણ પુરુષના પ્રસંગનો ત્યાગ કરવો, અને અંતઃશત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક તેમને જીતવા.૧૮૮

અને સર્વે જે ઇન્દ્રિયો તે જીતવી, અને રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી. અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ, ને કોઇ બીજા પાસે પણ કરાવવો નહિ.૧૮૯

અને કોઇની પણ થાપણ ન રાખવી, અને ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો. અને પોતાના ઉતારાની જાયગા બંધીની હોય તો તેને વિષે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ.૧૯૦

અને તે સાધુ તેમણે આપત્કાળ પડયા વિના રાત્રિને વિષે સંઘસોબત વિનાનું ચાલવું નહિ, તથા આપત્કાળ પડયા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહિ.૧૯૧

અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય તથા ચિત્રવિચિત્ર ભાતનું હોય તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા શાલ દુશાલા હોય ને તે જો બીજાની ઇચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતે પહેરવું ઓઢવું નહિ.૧૯૨

भिक्षां सभां विना नैव गन्तव्यं गृहिणो गृहम् । व्यर्थः कालो न नेतव्यो भक्तिं भगवतो विना ।। १९३

पुमानेव भवेद्यत्र पक्वान्नपरिवेषणः । ईक्षणादि भवेन्नैव यत्र स्त्रीणां च सर्वथा ।। १९४

तत्र गृहिगृहे भोक्तृं गन्तव्यं साधुभिर्मम । अन्यथाऽमान्नमर्थित्वा पाकः कार्यः स्वयं च तैः ।। १९५

आर्षभो भरतः पूर्वे जडविप्रो यथा भुवि । अवर्ततात्र परंमहंसैर्वृत्यं तथैव तैः ।। १९६

અને ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થકાળ નિર્ગમવો નહિ, નિરંતર ભક્તિએ કરીને જ કાળ નિર્ગમવો.૧૯૩

અને જે ગૃહસ્થના ઘરને વિષે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઇ રીતે થાય એમ ન હોય.૧૯૪

તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું, અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઇ કરવી, ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું.૧૯૫

અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે પૃથ્વીને વિષે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા, તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું.૧૯૬

वर्णिभिः साधुभिश्चैतैर्वर्जनीयं प्रयत्नतः । ताम्बूलस्याहिफेनस्य तमालादेश्च भक्षणम् ।। १९७

संस्कारेषु न भोक्तव्यं गर्भाधानमुखेषु तैः । प्रेतश्राद्धेषु सर्वेषु श्राद्धे च द्वादशाहिके ।। १९८

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે તાંબૂલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું.૧૯૭

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારીને સાધુ તેમણે ગર્ભાધાનાદિક જે સંસ્કાર તેમને વિષે જમવું નહિ, તથા એકાદશાહ પર્યંત જે પ્રેત શ્રાદ્ધ તેમને વિષે જમવું નહિ, તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિષે જમવું નહિ.૧૯૮

दिवास्वापो न कर्तव्यो रोगाद्यापदमन्तरा । ग्राम्यवार्ता न कार्या च न श्रव्या बुद्धिपूर्वकम् ।। १९९

स्वप्यं न तैश्च खट्वायां विना रोगादिमापदम् । निश्छद्म वर्तितव्यं च साधूनामग्रतः सदा ।। २००

गालिदानं ताडनं च कृतं कुमतिभिर्जनैः । क्षन्तव्यमेव सर्वेषां चिन्तनीयं हितं च तैः ।। २०१

दूतकर्म न कर्तव्यं पैशुनं चारकर्म च । देहेऽहन्ता च ममता न कार्या स्वजनादिषु ।। २०२

અને રોગાદિક આપત્કાળ પડયા વિના દિવસે સૂવું નહિ, અને ગ્રામ્ય વાર્તા કરવી નહિ, ને જાણીને સાંભળવી નહિ.૧૯૯

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપત્કાળ પડયા વિના ખાટલા ઉપર સૂવું નહિ, અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું.૨૦૦

અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઇક કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહિ અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો.૨૦૧

અને કોઇનું દૂતપણું ન કરવું, તથા ચાડિયાપણું ન કરવું, ને કોઇના જાસૂસ ન થવું, અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી, ને સ્વજનાદિકને વિષે મમતા ન કરવી. (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા.)૨૦૨

इति सेपतो धर्माः सर्वेषां लिखिता मया । साम्प्रदायिकग्रन्थेभ्यो ज्ञोय एषां तु विस्तरः ।। २०३

सच्छास्त्राणां समुद्धृत्य सर्वेषां सारमात्मना । पत्रीयं लिखिता नृणामभीष्टफलदायिनी ।। २०४

इमामेव ततो नित्यमनुसृत्य ममाश्रितैः । यतात्मभिर्वर्तितव्यं न तु खैरं कदाचन ।। २०५

वर्तिष्यन्ते य इत्थं हि पुरुषा योषितस्तथा । ते धर्मादिचतुर्वर्गसिद्धिं प्राप्स्यन्ति निश्चितम् ।। २०६

नेत्थं य आचरिष्यन्ति ते त्वस्मत्सम्प्रदायतः । बहिर्भूता इति ज्ञोयं स्त्रीपुंसैः साम्प्रदायिकैः ।। २०७

शिक्षापत्र्याः प्रतिदिनं पाठोऽस्या मदुपाश्रितैः । कर्तव्योऽनक्षरज्ञौस्तु श्रवणं कार्यमादरात् ।। २०८

वक्त्र भावे तु पूजैव कार्याऽस्याः प्रति वासरम् । मद्रूपमिति मद्वाणी मान्येयं परमादरात् ।। २०९

युक्ताय सम्पदा दैव्या दातव्येयं तु पत्रिका । आसुर्या सम्पदाऽढयाय पुंसे देया न कर्हिचित् ।। २१०

विक्रमार्कशकस्याब्दे नेत्राष्टवसुभूमिते । वसन्ताद्यदिने शिक्षापत्रीयं लिखिता शुभा ।। २११

निजाश्रितानां सकलार्तिहन्ता सधर्मभक्तेरवनं विधाता । दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णोऽखिलमङ्गलं नः ।। २१२ ।।

અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઇ ભાઇ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે. અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો.૨૦૩

અને સર્વ જે સચ્છાસ્ત્ર તેમનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે, તે કેવી છે તો સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળની દેનારી છે.૨૦૪

એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું, પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું.૨૦૫

અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે.૨૦૬

અને જે બાઇ ભાઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે. એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમણે જાણવું.૨૦૭

અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો, અને જેને ભણતાં આવડતું ન હોય તેને તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું.૨૦૮

અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઇ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી, અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી.૨૦૯

અને આ જે અમારી શિક્ષાપત્રી તે જે તે દૈવી સંપદાયે કરીને યુક્ત જે જન હોય તેને આપવી અને જે જન આસુરી સંપદાયે કરીને યુક્ત હોય તેને તો ક્યારેય ન આપવી.૨૧૦

સંવત ૧૮૮૨ (અઢારસો બ્યાસી) ના મહા શુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્યાણકારી છે.૨૧૧

અને પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્રપીડા તેના નાશના કરનારા એવા અને ધર્મ સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા અને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે જે તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો.૨૧૨

इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे शिक्षापत्रीलेखननिरूपणनामा चतुश्चत्वारिंशोऽध्यायः ।। ४४ ।।

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શિક્ષાપત્રી લેખનનું નિરૂપણ કર્યું એ નામે ચુમાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૪--