સારસિદ્ધિ કડવું - ૧૫

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 9:14pm

રાગ :- ધન્યાશ્રી

 

બૃહત વૈરાગ્યની વાત છે મોટીજી, તે વિના સર્વે સમઝણ ખોટીજી ।

શીદને મરીયે એમાં શિર કૂટીજી, બા’ર હૈયાની આંખ્ય કેમ ફૂટીજી ।।૧।।

 

રાગ :- ઢાળ

 

ફૂટી આંખ્ય અંતરની, તે સુખ દુઃખ સુઝે નહિ ।

વૈરાગ્ય વિના વાત સુધિ, બુઝાવતાં બુઝે નહિ ।।૨।।

બૃહત વૈરાગ્ય વિના કોણ, બેઠો ઠાઉકો ઠરીને ।

વૈરાગ્ય જાણો વિપ્ર વિવા’માં, હાથોહાથ સોંપે હરિને ।।૩।।

જેમ જુવતિને પતિ પામવા, જોયે બીજો કરતલ મેળાપ ।

તેમ જનને જગદીશ મળવા, બૃહત વૈરાગ્ય મેળવે આપ ।।૪।।

પ્રથમ પે’લાં કામ પડે, હરિ વરવા બૃહત વૈરાગ્યનું ।

જેણે કરી પિયુ પામિયે, વામીયે  મેણુ દૂવાગનું ।।૫।।

વર વર્યા વિના વનિતા, કોયે સુખ ન પામે સુંદરી ।

મોર્યે કહ્યાં સુખ મોટાં મોટાં, પામે વૈરાગ્યવાન વરતાં હરિ ।।૬।।

વર વરવા ઇચ્છા કરે, તો આપે જરીનો એહ ।

તૈયે જરૂર વર એને વરશે, એહ વાતમાં નથી સંદેહ ।।૭।।

ચોકસ ઓઢિ જેણે એ ચુંનડી, અખંડ વરની અંગ ।

એવા જન જે જગ્તમાં, તેનો રહી ગયો રૂડો રંગ ।।૮।।

પ્રથમ કહ્યાં એવાં સુખ પામવા, બૃહત વૈરાગ્યમાં છે જો વડાઇ ।

તેહ વિના તોળિ તપાસું, સુખ ના દીઠું કહું ક્યાંઇ ।।૯।।

વારમવાર વિચારી કરી, મોટપ્ય વૈરાગ્યની લૈ લખી ।

નિષ્કુલાનંદ કહે નરને, નથી સુખ બૃહત વૈરાગ્ય પખી ।।૧૦।। કડવું ।।૧૫।।