સર્વમંગલ નામાવલિ અર્થસહિત ૨૦૧-૩૦૦

Submitted by swaminarayanworld on Wed, 01/03/2017 - 7:21pm

૨૦૧.   ૐ શ્રી તીર્થધર્મજ્ઞાય નમઃ :- યાત્રિકોને તીર્થમાં પાળવા યોગ્ય ધર્મોને જાણનારા.

૨૦૨.   ૐ શ્રી તીર્થસ્થાધર્મનાશનાય નમઃ :- તીર્થોમાં રહેલા અધર્મનો નાશ કરનારા.

૨૦૩.   ૐ શ્રી અનાદૃવપઃસૌખ્યાય નમઃ :- શારીરિક સુખ-સાધનનો અનાદર કરનારા.

૨૦૪.   ૐ શ્રી પ્રાણાયામપરાય નમઃ :- પોતે સિદ્ધિયોગી હોવા છતાં નિયમિત ત્રણ વખત પ્રાણાયામ કરનારા.

૨૦૫.   ૐ શ્રી વ્રતિને નમઃ :- ઉપવાસ સહિત વ્રતો કરનારા.

૨૦૬.   ૐ શ્રી ઋષિવૃત્તયે નમઃ :- ઋષિઓના જેવી નિર્વાહ-વૃત્તિ રાખનારા.

૨૦૭.   ૐ શ્રી મુનયે નમઃ :- વેદો-શાસ્ત્રો વગેરેના અર્થોનું મનનચિંતન કરનારા.

૨૦૮.   ૐ શ્રી મૌનિને નમઃ :- ગ્રામ્ય વાર્તા નહિ કરનારા.

૨૦૯.   ૐ શ્રી નિર્વિકલ્પાય નમઃ :- પોતાના સહવાસમાં આવનારનાં જાતિ, ગુણ, સ્વભાવ, ક્રિયા, શત્રુ - આવા કોઇપણ જાતના વિકલ્પો - ભેદભાવ રાખ્યા વિના તેનું સર્વ પ્રકારે સર્વદા હિત કરનારા.

૨૧૦.   ૐ શ્રી અલ્પભાષણાય નમઃ :- જરૂર પૂરતું જ બોલનારા.

૨૧૧.   ૐ શ્રી વસ્ત્રપૂતોદપિબાય નમઃ :- વસ્ત્રથી ગાળેલા જળનું જ પાન કરનારા.

૨૧૨.   ૐ શ્રી યાવદર્થાંગચેષ્ટિતાય નમઃ :- જેટલી જરૂર હોય તેટલા જ પ્રમાણમાં શારીરિક ક્રિયા કરનારા.

૨૧૩.   ૐ શ્રી બ્રહ્મજ્ઞસ્વૈરવર્તિત્વબોધિગ્રંથવિવર્જનાય નમઃ :- બ્રહ્મ જાણનારાઓ અને બ્રહ્મનો સાક્ષાત્કાર કરનારાઓ ફાવે તેમ વર્તે તો પણ તેને કોઇ પાપ લાગતું નથી આવું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોનું વાંચન - શ્રવણ નહિ કરનારા.

૨૧૪.   ૐ શ્રી નિરુપાનહે નમઃ :- સર્વ પ્રકારના વિષમ વનમાં પણ ઉઘાડે પગે વિચરનારા.

૨૧૫.   ૐ શ્રી અપૃષ્ટાધ્વને નમઃ :- આ માર્ગ દ્વારા કયા સ્થાને પહોંચાશે, તેવું કોઇને નહિ પૂછનારા.

૨૧૬.   ૐ શ્રી ઘોરારણ્યચરાય નમઃ :- અત્યંત ગાઢ વનમાં ફરનારા.

૨૧૭.   ૐ શ્રી અભ્રમાય નમઃ :- વિકટ વનમાં પણ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાઓનું ચોક્કસ અનુસંધાન રાખીને ચાલનારા.

૨૧૮.   ૐ શ્રી સ્રયંગગંધાસહાય નમઃ :- સ્ત્રીઓનાં અંગની ગંઘ પણ સહન નહિ કરનારા.

૨૧૯.   ૐ શ્રી અસક્તાય નમઃ :- સારા વિષયો પ્રાપ્ત થવા છતાં તેમાં આસક્ત નહિ થનારા.

૨૨૦.   ૐ શ્રી જડાંગિરસવર્તનાય નમઃ :- અંગિરા ઋષિના કુળમાં જન્મેલા જડ વિપ્રની (જડભરતની) માફક નિર્માની, આસક્તિ રહિત, અહિંસાવ્રતપૂર્ણ જીવન જીવનારા.

૨૨૧.   ૐ શ્રી ઊર્ધ્વરેતસે નમઃ :- વીર્યને બ્રહ્મરંઘ્રમાં રાખવાની યોગકળા સિદ્ધ કરીને તે પ્રમાણે વીર્યને ઊર્ધ્વ બ્રહ્મરંઘ્રમાં ધારણ કરનારા.

૨૨૨.   ૐ શ્રી બ્રહ્મચારિણે નમઃ :- તીર્થયાત્રા સમયે અને પછીથી જગતમાં બ્રહ્મચારી તરીકે પ્રસિદ્ધિ પામેલા.

૨૨૩.   ૐ શ્રી યોગિને નમઃ :- સમાજમાં યોગી તરીકે પ્રસિદ્ધ થયેલા.

૨૨૪.   ૐ શ્રી યોગજ્ઞસન્નતાય નમઃ :- યોગીઓ પણ આદરપૂર્વક જેને નમસ્કાર કરે છે.

૨૨૫.   ૐ શ્રી યોગીન્દ્રદુશ્ચરાચરાય નમઃ :- યોગીઓ ન પાળી શકે તેવા નિયમો પાળનારા તથા યોગીઓ ન કરી શકે તેવી યોગક્રિયાઓ કરનારા.

૨૨૬.   ૐ શ્રી સૌરાષ્ટ્‌જનપાવનાય નમઃ :- સૌરાષ્ટ્રની જનતાને પવિત્ર કરનારા.

૨૨૭.   ૐ શ્રી લોજલોકમહાનંદનાય નમઃ :- લોજ ગામમાં રહેનારાઓને મહાઆનંદરૂપ.

૨૨૮.   ૐ શ્રી સાધવે નમઃ :- અપકાર કરનારનું પણ ભલું કરનાર, સદ્‌ગુણસંપન્ન.

૨૨૯.   ૐ શ્રી સાધુપ્રપૂજિતાય નમઃ :- સાધુઓએ આદરપૂર્વક પૂજેલા.

૨૩૦.   ૐ શ્રી અનુચ્ચારિતદુર્વાક્યાય નમઃ :- અતિશય પ્રતિકૂળ સંજોગોમાં પણ કયારેય અપશબ્દો નહિ બોલનારા તેમજ હાસ્ય-વિનોદમાં પણ અપશબ્દો નહિ બોલનારા.

૨૩૧.   ૐ શ્રી મધુરાક્ષરભાષણાય નમઃ :- મધુર અને સ્પષ્ટ વાક્યો બોલનારા.

૨૩૨.   ૐ શ્રી ત્યાગિમાન્યાય નમઃ :- ત્યાગી સંતોએ પણ આદરપૂર્વક માનવા લાયક.

૨૩૩.   ૐ શ્રી મહાયોગિને નમઃ :- મોટા યોગી તરીકે પ્રસિદ્ધ.

૨૩૪.   ૐ શ્રી સદાશ્ચર્યક્રિયાય નમઃ :- હમેશાં આશ્ચર્યકારક સત્ક્રિયા કરનારા.

૨૩૫.   ૐ શ્રી સ્થિરાય નમઃ :- સ્થિર વૃત્તિવાળા.

૨૩૬.   ૐ શ્રી ધ્યાત્રે નમઃ :- ધ્યાન કરનારા.

૨૩૭.   ૐ શ્રી ધ્યાતૃમનોદર્શિને નમઃ :- ધ્યાન કરનારાના મનની વૃત્તિને જોનારા.

૨૩૮.   ૐ શ્રી મનસ્વિને નમઃ :- મનને અત્યંત સ્વાધીન રાખનારા.

૨૩૯.   ૐ શ્રી માનદાય નમઃ :- બીજાને માન આપનારા.

૨૪૦.   ૐ શ્રી મૃદવે નમઃ :- અત્યંત દયાળુ સ્વભાવના.

૨૪૧.   ૐ શ્રી પ્રશ્નોત્તરપટવે નમઃ :- પ્રશ્નો પૂછવામાં તથા તેના ઉત્તર આપવામાં પ્રવીણ.

૨૪૨.   ૐ શ્રી વેદતત્ત્વજ્ઞાય નમઃ :- વેદના તત્ત્વને જાણનારા.

૨૪૨.   ૐ શ્રી વેદતત્ત્વજ્ઞાય નમઃ :- વિશાળ બુદ્ધિવાળા.

૨૪૪.   ૐ શ્રી બુધાય નમઃ :- વિદ્વાન :- સામી વ્યક્તિ શું કહેવા માગે છે તેનો આશય સ્પષ્ટ રીતે જાણનારા.

૨૪૫.   ૐ શ્રી ઉદ્ધવેક્ષોત્સુકાય નમઃ :- ઉદ્ધવજીનાં (રામાનંદ સ્વામીનાં) દર્શન કરવામાં ઉત્સાહવાળા.

૨૪૬.   ૐ શ્રી અનંતાય નમઃ :- અપાર ગુણોવાળા. વર્ણીના ગુણોનું, વિદ્યાનું યોગકળાનું કોઇ માપ કાઢી શક્તું નહિ, તેથી ‘અનન્ત’ કહ્યા છે.

૨૪૭.   ૐ શ્રી પત્રીલેખપટવે નમઃ :- પત્ર લખવામાં ચતુર.

૨૪૮.   ૐ શ્રી પ્રભવે નમઃ :- સમર્થ રામાનંદ સ્વામીએ વર્ણીનો પત્ર વાંચીને નિશ્ચય કર્યો કે, આ વર્ણી ખરેખર પુરૂષોત્તમ નારાયણ છે. આ રીતે સ્વામીએ પ્રભુ તરીકે જાણેલા.

૨૪૯.   ૐ શ્રી પત્ર્યુત્તરજ્ઞાતનિજૈશ્ચર્યસાધ્વતિમાનિતાય નમઃ :- પત્રનો ઉત્તર વાંચીને જાણેલ છે. પોતાનું ઐશ્વર્ય જેણે એવા મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ આદરપૂર્વક માનેલા.

૨૫૦.   ૐ શ્રી રામાનંદસ્વામિવીક્ષાનન્દાય નમઃ :- રામાનંદસ્વામીનાં દર્શન કરીને આનંદ પામનારા.

૨૫૧.   ૐ શ્રી સાધુપ્રિયાય નમઃ :- સાધુઓને પ્રિય. સંતોની સાથે રાખનારા.

૨૫૨.   ૐ શ્રી પ્રિયાય નમઃ :- દર્શન કરનારાને અત્યંત પ્રિય.

૨૫૩.   ૐ શ્રી બોધન્યાપ્તમહાદીક્ષાય નમઃ :- વિ.સં. ૧૮૫૭ ના કાર્તિક સુદ ૧૧ ના દિવસે રામાનંદસ્વામી પાસેથી સંપ્રદાયની ભાગવતી મહાદીક્ષા લેનારા.

૨૫૪.   ૐ શ્રી ગુરુસેવાપરાય નમઃ :- ગુરુની સેવામાં પરાયણ રહેનારા.

૨૫૫.   ૐ શ્રી યમિને નમઃ :- દીક્ષા સ્વીકારતી વખતે ગુરુએ જે અહિંસાદિ વ્રતો પાળવાનાં કહ્યાં હોય, તેનો સ્વીકાર કરીને તેનું યથાર્થ પાલન કરનારા.

૨૫૬.   ૐ શ્રી ભક્તાય નમઃ :- ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લઇને સંપ્રદાયના નિયમો પાળીને ભગવાનની ભક્તિ કરનારા તથા ભાગવતત્ભક્તિનો પ્રચાર કરનારા.

૨૫૭.   ૐ શ્રી નારાયણમુનયે નમઃ :- દીક્ષા લીધા પછી ‘નારાયણમુનિ’ નામથી પ્રસિદ્ધિ પામેલા.

૨૫૮.   ૐ શ્રી સહજાનંદાય નમઃ :- દીક્ષા પ્રાપ્ત કરતી વખતે વર્ણીને ગુરુએ ‘સહજાનંદ’ નામ પણ આપ્યું હતું.

૨૫૯.   ૐ શ્રી આત્મદૃશે નમઃ :- પોતાના આત્મા સંબંધી સુખમાં જ દૃષ્ટિ રાખનારા.

૨૬૦.   ૐ શ્રી ગુરુમાન્યાય નમઃ :- ગુરુને પૂજ્ય માનનારા.

૨૬૧.   ૐ શ્રી ગુરુપ્રેષ્ઠાય નમઃ :- ગુરુ વિષે અતિસ્નેહ રાખનારા, ગુરુને અતિપ્રિય.

૨૬૨.   ૐ શ્રી ગુર્વંતિકકૃતાંજલયે નમઃ :- ગુરુ પાસે હમેશાં નમ્રતાપૂર્વક બે હાથ જોડી હાજર થનારા.

૨૬૩.   ૐ શ્રી ગુર્વાજ્ઞાકૃતત્પાશ્ચોપવેશગમનક્રિયાય નમઃ :- ગુરુની આજ્ઞા અનુસાર જ તેમની પાસે જવું, બેસવું વગેરે સર્વ ક્રિયા ગુરુ આજ્ઞા પ્રમાણે જ કરનારા.

૨૬૪.   ૐ શ્રી નારાયણાનન્યતમયે નમઃ :- એક પુરૂષોત્તમ નારાયણના સ્વરૂપને વિષે જ અનન્યભાવથી બુદ્ધિને સ્થિર કરનારા.

૨૬૫.   ૐ શ્રી એકાંતિકમુનિપ્રિયાય નમઃ :- જે ધર્મનિષ્ઠાથી એકની, સર્વશ્રેષ્ઠ પુરૂષોત્તમ નારાયણની અન્તકાળે અને મરણ પછી પણ પ્રાપ્તિ થાય તે ધર્મનિષ્ઠા - ભાગવત ધર્મ તે એકાન્તિક ધર્મ કહેવાય. આવા એકાન્તિક ધર્મનું યથાર્થ પાલન કરનારા. સાધુઓને વિષે જ અતિશય પ્રીતિ રાખનારા.

૨૬૬.   ૐ શ્રી વર્ણીન્દ્રાય નમઃ :- બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ.

૨૬૭.   ૐ શ્રી નૈષ્ઠિકપ્રેષ્ઠાય નમઃ :- નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં અતિશય સ્નેહ રાખનારા.

૨૬૮.   ૐ શ્રી એકાંતિકસદર્ચકાય નમઃ :- વ્રત, પર્વ, ઉત્સવોના દિવસોમાં એકાન્તિક સંતોને પૂજનારા

૨૬૯.   ૐ શ્રી યશસ્વિને નમઃ :- કીર્તિવાળા,

૨૭૦.   ૐ શ્રી ભૂરિતેજસ્વિને નમઃ :- મહાપ્રભાવશાળી.

૨૭૧.   ૐ શ્રી વૈદિકાય નમઃ :- વેદોક્ત ધર્મોનું ચુસ્ત રીતે પાલન કરનારા.

૨૭૨.   ૐ શ્રી બ્રહ્મવર્ચસિને નમઃ :- વેદાધ્યયન અને તપરૂપી સંપત્તિવાળા.

૨૭૩.   ૐ શ્રી સન્નાયવર્તિને નમઃ :- સત્ય ન્યાયમાં જ નિષ્ઠા રાખનારા.

૨૭૪.   ૐ શ્રી નિર્દ્વેષાય નમઃ :- કોઇ પ્રત્યે વૈર નહિ રાખનારા.

૨૭૫.   ૐ શ્રી ભક્તિહર્ષવિવર્ધનાય નમઃ :- ભક્તિની પ્રવૃત્તિમાં અન્તરાયરૂપ દોષોને દૂર કરીને ભક્તિને હર્ષ વધારનારા, અર્થાત્‌ ભક્તિ કરનારાઓને સર્વ રીતે અનુકૂળતા કરી આપનારા.

૨૭૬.   ૐ શ્રી ગૃહીતહિતવાચે નમઃ :- ધર્મયુક્ત હિતકારી વાક્યનો હમેશાં સ્વીકાર કરનારા.

૨૭૭.   ૐ શ્રી સર્વભૂતત્ત્વવિદે નમઃ :- દેવો, દૈત્યો, માનવ વગેરે સર્વ પ્રાણીમાત્રનાં યથાર્થ તત્ત્વ જાણનારા. સર્વ પ્રાણીમાત્રમાં અંતર્યામી એક પરમાત્મતત્ત્વને યથાર્થ જાણનારા.

૨૭૮.   ૐ શ્રી ઊહવતે નમઃ :- બુદ્ધિથી વિચારીને કાર્ય કરનારા.

૨૭૯.   ૐ શ્રી સત્યપ્રિયાય નમઃ :- હમેશાં સત્યવચન બોલનારમાં પ્રીતિ રાખનારા.

૨૮૦.   ૐ શ્રી સત્યપરાય નમઃ :- હમેશાં સત્ય બોલવામાં તત્પર, અર્થાત્‌ ક્યારેય પણ ખોડું નહિ બોલનાર.

૨૮૧.   ૐ શ્રી નિષ્કામનરવલ્લભાય નમઃ :- બ્રહ્મચર્ય વ્રત પાળનારાઓ સાથે સ્નેહ રાખનારા.

૨૮૨.   ૐ શ્રી અદ્રોકહાય નમઃ :- કોઇને ક્યારેય કોઇ પ્રકારે દુઃખ નહિ દેનારા.

૨૮૩.   ૐ શ્રી સદોદ્યોગિને નમઃ :- સદા સત્કર્મ કરવાનો જ ઉદ્યમ કરનારા.

૨૮૪.   ૐ શ્રી ષડૃર્મિવિજયક્ષમાય નમઃ :- છ ઊર્મિઓને સ્વાધીન રાખવમાં સમર્થ.

૨૮૫.   ૐ શ્રી ધર્મકાર્યક્ષિપ્રકારિણે નમઃ :- ધર્મકાર્ય કરવાની ઇચ્છા થઇ કે તરત જ તે કરવા વાળા

૨૮૬.   ૐ શ્રી દીર્ધદર્શિને નમઃ :- ભવિષ્યકાળને જોનારા.

૨૮૭.   ૐ શ્રી વિચારવતે નમઃ :- દરેક પદાર્થનો વિવેકપૂર્વક સાર-અસારનો વિચાર કરીને તેના સારને સ્વીકારનારા.

૨૮૮.   ૐ શ્રી દેશકાલાઘવિહતસ્વસ્વરુપાચલસ્થિતયે નમઃ :- પોતે અતિ સિદ્ધયોગી હતા, તેથી દેશ, કાળ, ક્રિયા, સંગ વગેરે વિપરીત હોય છતાં પણ પોતાના આત્મસ્વરૂપમાં દૃઢ-સ્થિર રહેનારા.

૨૮૯.   ૐ શ્રી સત્તમાય નમઃ :- સંતોમાં ઉત્તમ.

૨૯૦.   ૐ શ્રી દમઘૃતે નમઃ :- ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારા.

૨૯૧.   ૐ શ્રી દક્ષાય નમઃ :- ગુરુ-આજ્ઞા પાળીને ગુરુની કૃપા મેળવવામાં પ્રવીણ.

૨૯૨.   ૐ શ્રી વિનીતાય નમઃ :- તપ, વિદ્યા, ધર્મ વગેરે સદ્‌ગુણવાળા, સરળ સ્વભાવવાળા, સજ્જનોની સાથે હમેશાં નમ્રતાવાળા.

૨૯૩.   ૐ શ્રી સ્મૃતિમતે નમઃ :- તીવ્ર સ્મરણશક્તિવાળા.

૨૯૪.   ૐ શ્રી ઋજવે નમઃ :- સરળ સ્વભાવવાળા.

૨૯૫.   ૐ શ્રી સચ્છાસ્ત્રવ્યસનાય નમઃ :- સત્શાસ્ત્રોનું શ્રવણ, વાંચન કરવાની ટેવવાળા.

૨૯૬.   ૐ શ્રી અવ્યગ્રાય નમઃ :- સર્વદા સ્વસ્થ ચિત્તવાળા.

૨૯૭.   ૐ શ્રી અભિમાનિપુરુષારુચયે નમઃ :- ધન, સત્તા, ગુણ, જાતિ વગેરેના યોગથી જે અભિમાની પુરૂષ હોય તે પ્રત્યે ઉદાસીનતા રાખનારા.

૨૯૮.   ૐ શ્રી અતિસર્વમતયે નમઃ :- બુદ્ધિમાન પુરૂષોમાં પણ ઉત્તમ બુદ્ધિવાળા.

૨૯૯.   ૐ શ્રી વાગ્મિને નમઃ :- પ્રશંસનીય, ગંભીર, મધુર, હિતકારી વાણી બોલનારા.

૩૦૦.   ૐ શ્રી સત્સંગિજનવલ્લભાય નમઃ :- ઉદ્ધવસંપ્રદાયના સત્સંગીઓને અતિપ્રિય.