૬૫. સંતોએ ગામડે ફરી સત્સગં વધાયોર્, શ્રીહરિ તપસ્વી વેષે છાના રહ્યા, વસંતોત્સવમાં સંતોને બોલાવી ર

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:52pm

ચોપાઇ –

પછી સંત ચાલ્યા સહુ મળી, મહામુક્ત તણી જે મંડળી ।

સર્વે ગુજરદેશમાં ગયા, કૈક પુરમાં પઢવા રહ્યા ।।૧।।

સતસંગી ગયા સર્વે ઘેર, થઇ સુખી સહુ બહુપેર ।

જોઇ લીળા ને ચડી ખુમારી, ઉતરે નહી કેની ઉતારી ।।૨।।

કરે ચર્ચા પરસ્પર જયારે, થાય કેફ ભરી વાત ત્યારે ।

સહુને ચિતે ચડ્યો રંગચોળ, આવી અંતરે મસ્તિ અતોળ ।।૩।।

થયું પ્રકટ જાણે કલ્યાણ, નહિ ઉધારી વાતની વાણ ।

હોય પરચા હજારો હજાર, જાણે જન ન જાણે સંસાર ।।૪।।

જે કોઇ સતસંગી નામ કાવે, પંચવ્રતને પાળે પળાવે ।

તે આલોક પરલોકને માંઇ, રહે સુખી તે જન સદાઇ ।।૫।।

જેદિ આવે આ દેહનો કાળ, તેદિ આવે તેડવા દયાળ ।

રથ વેલ્ય વિમાન ને વાજી, મુકે દેહ ઘણું થઇ રાજી ।।૬।।

કહે આવ્યા છે તેડવા નાથ, હું જાઉંછું મહારાજને સાથ ।

માનજયો મારૂં હિત વચન, સહુ સ્વામીનું કરજયો ભજન ।।૭।।

એમ કહીને મુકે છે દેહ, સર્વે જાણે સતસંગી તેહ ।

કૈક કુસંગી તેપણ જાણે, થાય દર્શન પ્રકટ પ્રમાણે ।।૮।।

જયારે મરે કુસંગીમાં કોઇ, નજરે જમકિંકરને જોઇ ।

જાતાં જમહાથ જોઇ કુસંગી, પછી સમજી થાય સતસંગી ।।૯।।

એમ વધતો જાય સતસંગ, જોઇ રીત્ય ચિત્તે ચડે રંગ ।

આવે સંત કરે બહુ વાત, તે સાંભળી થાય રળિયાત ।।૧૦।।

વળી પૂર્ણ પુરૂષોત્તમ જેહ, મળે પ્રકટ પ્રમાણ તેહ ।

તેના સંત પંચવ્રતે પુરા, એ આગળે બીજા તો અધુરા ।।૧૧।।

એવા સંત શિરોમણી જેહ, ફરે દેશપ્રદેશમાં તેહ ।

જેનાં આગન્યાકારી છે અંગ, કેદિ ન કરે વચનનો ભંગ ।।૧૨।।

તેને આપીયું એમ વચન, જાજયો તવરે મળી મુનિજન ।

આવી શક્યા તો આવશું અમે, નહિ તો નહાજયો નર્મદામાં તમે ।।૧૩।।

એવી સંતને આગન્યા આપી, પછી જાણ્યું વધ્યા ઘણા પાપી ।

તૈયે કાળને આગન્યા કીધી, મુવા પાપી જીવ બહુ વિધિ ।।૧૪।।

પોતે છાના રહ્યા ઘણું શ્યામ, કાળે કીધું છે કાળનું કામ ।

પોતે લીધો તપસ્વીનો વેષ, રહ્યા ગુપ્ત વધારીયા કેશ ।।૧૫।।

પહેરે ખેસ ને ઓઢે ચોફાળ, માથે શોભે છે સુંદર વાળ ।

પહેરી ટોપી ઓપી શોભાતણી, શ્યામ મૂર્તિ તે પુષ્ટ છે ઘણી ।।૧૬।।

રહે છાના ન જાણે કોઇ જન, કરે એકાંતિ દાસ દર્શન ।

એમ વીતિ ગયા બહુ દિન, કોઇ જાણી શકે નહિ જન ।।૧૭।।

પછી આવ્યો છે વસંત માસ, સુણિ વસંત સાંભરીયા દાસ ।

પછી બોલીયા દિનદયાળ, લાવો તેડી સંત તતકાળ ।।૧૮।।

થઇ ખબર આવિયા સંત, વાલો રાજી રમવા વસંત ।

પહેરી વસ્ત્ર જરિનાં જીવન, ઘણું જન ઉપર પ્રસન્ન ।।૧૯।।

આવે સંત મળે ભરી બાથ, જુવે અમૃત દષ્ટિએ નાથ ।

ઘણા દિનના જન હતા પ્યાસી, થયા તૃપ્ત જોઇ અવિનાશી ।।૨૦।।

પછી નાથ કહે સુણો દાસ, આતો જાય છે ફાગણ માસ ।

ગાવો ફાગ ને ધુમ મચાવો, નિત્ય નાવે અવસર આવો ।।૨૧।।

કરો રમવાતણો સમાજ, એમ બોલ્યા રાજી થઇ રાજ ।

પછી સંતે કર્યો સરાજામ, હોળી હરિશું રમવા હામ ।।૨૨।।

પછી કઢાવ્યો રંગ સોરંગ, કેસુ કેસર કસુંબો પતંગ ।

ભર્યાં ચરુ કડાયાં ને કડા, વળી ગોળા માટલાં ને ઘડા ।।૨૩।।

લાવ્યા તેલ ગુલાલ અબીર, સજજ થયા સખા શૂરવીર ।

પછી નાથ કહે સુણો જન, આપો અમને સખા થઇ પ્રસન ।।૨૪।।

પછી દશ વિશ સખા લીધા, બેઉ ટોળાં બરોબર કીધાં ।

સાંખ્યયોગી સખા શ્યામ સાથે, લીધી હેમ પીચકારી હાથે ।।૨૫।।

પછી મંગાવિયો રંગ પાસે, ભરી પીચકારી અવિનાશે ।

છાંટી એક એક સહુ માથે, પછી નાખ્યો છે ગુલાલ નાથે ।।૨૬।।

સખા સહુ થયા રંગચોળ, પછી મચ્યો છે ખેલ અતોળ ।

છુટે પીચકારી બહુ છોળે, એકબીજાને ઝાલીને રોળે ।।૨૭।।

નાખે ઉપર અબીર ગુલાલ, તેણે સખા થયા સહુ લાલ ।

વાજે ઢોલ ને દદામાં ગડે, કાંસા ત્રાંસાની ધ્રોશજ પડે ।।૨૮।।

લથબથ યુથ રમે હોળી, સામસામી છે સરખી ટોળી ।

નાથ ઉપર નાખ્યો છે રંગ, તેણે શોભે છે સુંદર અંગ ।।૨૯।।

સર્વે વસ્ત્ર રંગાણાં અંગનાં, શ્વેત લાલ થયાં એક રંગનાં ।

મુખ લાલ ને કમળનેણ, શોભે સુંદર તે સુખદેણ ।।૩૦।।

હસવે દિસેછે દંતપંગતિ, ઓપે અનારકળીથી અતિ ।

બાંધ્યું બોકાનું સુંદર ફેંટે, કશી કમર રૂપાળે રેંટે ।।૩૧।।

છુટી કસમાં દિસે છે છાતિ, તેની શોભા કહી નથી જાતિ ।

વેઢ વિંટિ ને કડાં છે હાથે, નાથ રમેછે સખાને સાથે ।।૩૨।।

હોડાહોડમાં કોઇ ન હારે, વચ્ચમાં પડી કોઇ ન વારે ।

એમ રમતાં જામ બેઉ ગીયા, મટી બપોર છાયા નમિયા ।।૩૩।।

પછી નાથે હાથે પાડી તાળી, કરે નામની ધુન્ય રસાળી ।

કરી ધુન્ય કહે એમ વાલો, સર્વે નદીએ નાવાને ચાલો ।।૩૪।।

પછી પોતે ચડીયા છે ઘોડે, સખા જુથ સરવે છે જોડે ।

નાવા નીરમાં પેઠા છે નાથ, સહુ નાહ્યા છે શ્યામને સાથ ।।૩૫।।

નાહિ નાથ ને નિસર્યા બારે, કર્યો કુંકુમનો ઇંદુ ત્યારે ।

પછી અશ્વે થયા અસવાર, આવ્યા મહારાજ ગામ મોઝાર ।।૩૬।।

પછી સંત સવેર્તે આવ્યા, થઇ રસોઇ જમવા બોલાવ્યા ।

પછી પીરસ્યું પોતાને હાથે, એમ જમાડીયા જન નાથે ।।૩૭।।

સર્વે રીતે કીધા સુખી સંત, કરી લીળા અલૌકિ અત્યંત ।

દિન દશ સુધી સંત રહ્યા, પછી પોતે વળાવાને ગયા ।।૩૮।।

કારિયાણી ને કુંડળ ગામ, તિયાં સુધી આવ્યા પોતે શ્યામ ।

પછી સહુને શીખજ કરી, પોતે પાછા વળિયા છે હરિ ।।૩૯।।

એવો કર્યો સમૈયો જીવને, ફાગણસુદી પુનમને દિને ।

તેદિ ગઢડે રમીયા હોળી, સુખી થઇ ગયા સંત ટોળી ।।૪૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે ગઢડે હુતાસનિ ઉત્સવ કર્યો એ નામે પાંસઠમું પ્રકરણમ્ ।।૬૫।।