૩૨. અહંકારી પિબૈકને વર્ણીએ ફેલ છોડાવી પોતાનો આશ્રિત કર્યો.

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 7:05pm

પૂર્વછાયો-

શુભમતિ સહુ સાંભળો, હરિકથા કહું અનૂપ ।

દુષ્ટને દુઃખદાયી છે, છે સંતને સુખરૂપ ।।૧।।

અસુર જે અવનિ રહ્યા, બદલાવીને બીજો વેશ ।

તેને તે અથેર્શ્રીહરિ, ફરે છે દેશ પ્રદેશ ।।૨।।

જે કારણ અવતાર છે, તે કરવા થયા છે તૈયાર ।

હરિ ઇચ્છાએ આવિયા, પ્રભુ એહ વાડી મોઝાર ।।૩।।

પિબૈક ત્યાં પરિયાંણિયો, કરવા તે સિદ્ધોની ઘાત ।

નિદાન તેમાંથી જે નિપજયું, તેની સાંભળજયો સહુ વાત ।।૪।। ચોપાઇ-

હતો બ્રાહ્મણ મોરે એ શુદ્ધ, મળી વામિએ કર્યોઅશુદ્ધ ।

કૌલાવર્ણવે ભણેલે ભુદેવે, મળી ભષ્ટ કર્યો તતખેવે ।।૫।।

થયો કાલી ઉપાસક ભારી, નિત્ય પ્રત્યે પિવે કુળવારી ।

વળી સિદ્ધને જીતવા કાજ, તેદિ સજયો સરવે સમાજ ।।૬।।

મદ્ય માંસ ખાઇ થયો મસ્ત, તિખું ત્રિશુળ લીધું છે હસ્ત ।

કર્યો સિંદૂરલેપ લલાટે, ચાલ્યો સિદ્ધને જીતવા માટે ।।૭।।

રજે ભિંજેલ કુંકુમ લઇ, ચાલ્યો કપાળે ચાંદલો દઇ ।

વળી કુળવારી ખુબ પીધું, વધ્યું તે શરીરે છાંટી દીધું ।।૮।।

ચાલ્યો મત્સ્ય ચાવી મદમાતો, શિશે બાંધ્યો છે પટકો રાતો ।

માથે ઘણા ઘુંચાળા મુવાળા, તે દિસે છે ભૂંડા ભમરાળા ।।૯।।

સિદ્ધ પ્રસિદ્ધ પોતે કહેવાય, તેને જાણે સહુ દેશમાંય ।

કોઇ સામું આવીને ન ભાખે, ભાખે જો કોઇ તો મારી નાખે ।।૧૦।।

એવો ભૂંડાએ ભર્યો અપાર, મદ્ય ચાર વારનો પિનાર ।

કંઠે બાંધ્યાં છે અસ્થિ માંજાર, થયો સિદ્ધ જીતવા તૈયાર ।।૧૧।।

નરનારી જે રહે ગામવાસે, સંગે લઇ આવ્યો સિદ્ધને પાસે ।

વળતો આવીને બોલિયો એમ, પાખંડિયો સિદ્ધ કાવો કેમ ।।૧૨।।

સિદ્ધ તો એક હું છઉં આજ, તમ જેવા તો છે મારૂં ખાજ ।

મોટામોટાને મેં જીતી લીધા, તમ જેવા શિષ્ય કઇ કીધા ।।૧૩।।

જેજે આવીને મને નમિયા, તેતે સરવે જીવતા રિયા ।

જેણે જેણે બાંધી મુજ સાથે, તેને માર્યા મુકી વીર માથે ।।૧૪।।

માટે તમે મનમાં વિચારી, થાઓ શિષ્ય માળાઓ ઉતારી ।

ઉતારો ઉપવીત અચિર, નહિ તો હમણાં હોકારૂં છું વીર ।।૧૫।।

ભૂત પ્રેત લાવી સંગે ઘણાં, ખાઇ જાશે માંસ તમતણાં ।

એમ બોલ્યો એ બળમાં બહુ, બિના હરિ વિના સિદ્ધ સહુ ।।૧૬।।

કહે જેમ એ કહે તેમ કરીએ, તો આવ્યા મોતમાંથી ઉગરીએ ।

નહિ તો મારશે વીરને મેલી, માટે મેલીએ માળા સંકેલી ।।૧૭।।

મેલો જનોઇ પણ ઉતારી, એમ સહુ સિદ્ધે વાત વિચારી ।

ત્યારે હરિએ સિદ્ધ પ્રત્યે કહ્યું, રાખો ધીરજે હાકલી હૈયું ।।૧૮।।

કરે શિષ્ય મોરે મર મને, પછી થાવું તમારે સહુને ।

તોયે સિદ્ધે ધીરજ ન ધારી, કહ્યું નાખશે તમને મારી ।।૧૯।।

મહા દુષ્ટ એ પાપી છે બહુ, એને અમે જાણું છઉં સહુ ।

એવી સિદ્ધ હરિની જે વાણી, સુણી બોલ્યો અતિ ક્રોધ આણી ।।૨૦।।

ત્યારે પિબૈક કહે બ્રહ્મચારી, તને દેખાડું સામર્થી મારી ।

જો તું આ નીલા વડના હાલ, હમણાં કરૂંછું સુકવી સાલ ।।૨૧।।

એમ કહી નાખી મુઠ જયારે, વડ સુકી ગયો તેહ વારે ।

કહે માન્ય વર્ણી વાત મારી, નહીં તો આ ગતિ જાણજે તારી ।।૨૨।।

ત્યારે હરિ કહે ન બિયું અમે, કરવું હોય તે કરો સુખે તમે ।

એમ કહીને વીરઆસને, બેઠા હરિ તે અચળ મને ।।૨૩।।

બીજાની તો ધીરજ ન રઇ, બેઠા કૃષ્ણ કેડે કંપે જઇ ।

પછી પિબૈકે અડદ મંતરી, નાખ્યા હરિ ઉપર રીશ કરી ।।૨૪।।

તેણે હરિને ન થયું કાંઇ, ત્યારે દ્વિજ કોપ્યો મનમાંઇ ।

કહે રહેજે ખબરદાર થઇ, આજ માર્યા વિના મુકું નઇ ।।૨૫।।

એમ કહિ નાખી મુઠ એણે, ફેર પડ્યો નહિ કોઇ તેણે ।

ત્યારે પિબૈકે પણ એ લીધું, તને માર્યાનું નિશ્ચય મેં કીધું ।।૨૬।।

કરવું હોય તે કર સ્મરણ, આજ આવ્યું તારૂં ચાલી મરણ ।

નાખું છું કાળભૈરવની મુઠું, તારા જીવવાનું જાણે જુઠું ।।૨૭।।

ત્યારે હરિ કહે બેઠો છું હું જ, કરવું હોય તે કરને તું જ ।

ત્યારે મુક્યા છે ભૈરવ વીર, તોય હરિ બેઠા રહ્યા સ્થિર ।।૨૮।।

આવ્યા ભૈરવ ને વીર દોઇ, તેતો સામું શકયા નહિ જોઇ ।

પાછા પિબૈક ઉપર પડ્યા, ઉલટા નાખતલને નડ્યા ।।૨૯।।

પડ્યો કાળી ઉપાસક ઢળી, ચાલ્યું મુખેથી લોહી નિકળી ।

આવી મૂરછા ન રહી શુદ્ધ, પડ્યો અવનીએ ઉંદ્ધમુધ્ધ ।।૩૦।।

પછી મોડેથી મૂરછા વળી, ઉઠી બોલ્યો છે બળમાં વળી ।

કહ્યું ઉભો રહેજે બ્રહ્મચારી, મેલું બટુભૈરવ નાખે મારી ।।૩૧।।

ત્યારે હરિ કહે મોકલો સુખે, મુક્યા બટુવીરને વિમુખે ।

તેતો બિને પાછા વળી ગયા, પાછા પિબૈકને વળગિયા ।।૩૨।।

નાખ્યો ભૂમિયે પાડી પડાક, ધ્ર ુજી ધરણીએ પડ્યો ધડાક ।

વળી તડિ તડફડિ ઉઠ્યો, બોલ્યો પ્રભુજી ઉપર રૂઠ્યો ।।૩૩।।

કહે મુકું છું વીર મહાકાળી, તને નહિ મારે બીજાં એટાળી ।

એમ કહીને તેને મુકીયાં, તેતો હરિ પાસે ન આવિયાં ।।૩૪।।

પાછા ફરીને લાગિયાં એને, ઢાળી પાડિયો ભૂમિએ તેને ।

થયો અસોયો ન રહી શુદ્ધ, તોય વામી ન મુકે વિરૂદ્ધ ।।૩૫।।

પડી પહોર ઉઠી ઉભો થયો, વળી પ્રભુજીને કહેવા રહ્યો ।

કહે છે ઉભો રહે જે બ્રહ્મચારી, હવે કરૂં છું વલે હું તારી ।।૩૬।।

બહુ વીર સહિત હનુમંત, મુકું તેને કરે તારો અંત ।

એમ કહીને મુક્યા તે વાર, આવી તેણે કર્યો નમસ્કાર ।।૩૭।।

કરી પ્રણિપત પાછા ગીયા,બહુપિબૈકપરકોપિયા ।

આવી વળગ્યા તે વિપ્રને સહુ, પડ્યો વિપ્ર ભૂંડે હાલ બહુ ।।૩૮।।

ફાટ્યું મોઢું ને આવિયું ફીણ, પડી અંગની નાડિયો ક્ષીણ ।

માથું ગરી ગયું મહી માંઇ, મુખમાં ગઇ ધુડ્ય ભરાઇ ।।૩૯।।

પડ્યો ભેચક થઇ રીત્ય ભૂંડી, આંખ્યો ઉતરી ગઇ છે ઉંડી ।

નાક મુખમાંથી લોહી વહ્યું, પછી ઉઠવા જેવું ન રહ્યું ।।૪૦।।

ત્યારે તેના સંબંધી સહુ મળી, લાગ્યાં પાય પ્રભુજીને લળી ।

કહે દયા કરો એને હરિ, હવે નહિ કરે એ આવું ફરી ।।૪૧।।

માગતો હતો તે ફળ મળ્યું, મહા અહંકારીનું માન ગળ્યું ।

પછી પ્રભુએ તેને ઉઠાડ્યો, ઉઠી વિપ્ર પ્રભુ પગે પડ્યો ।।૪૨।।

કર્યા દંડવત બહુ વાર, કહે આવ્યો નવે અવતાર ।

પછી સિદ્ધ હતો તેને જોઇ, આપી બ્રાહ્મણે તેને રસોઇ ।।૪૩।।

એમ કરી ગયો ઘેર જયારે, મન રહ્યું નહિ એવું ત્યારે ।

પૂજયો કાળભૈરવને જઇ, મદ્ય માંસ બલિદાન દઇ ।।૪૪।।

મુક્યો હરિ માથે તતકાળ, આવ્યો ભયંકર વિકરાળ ।

ભૂંડું મુખ તે ભર્યું રુધિરે, લાંબો ને નથી વસ્ત્ર શરીરે ।।૪૫।।

આંખ્યું રાતી અતિ કાળો શાહી, લીધું ત્રિશુળ તે કરમાંહિ ।

એવે રૂપે પ્રભુ પાસે આવ્યો, પણ આવિને કાંઇ ન ફાવ્યો ।।૪૬।।

છેટે બેસી રહ્યો આખી રાત્ય, હરિ હસ્યા જોઇ પરભાત્ય ।

પછી નાવા ચાલ્યા જયારે હરિ, ત્યારે એના સામી દ્રષ્ટિ કરી ।।૪૭।।

ત્યારે થરથર ધ્રુજીને ભાગ્યો, જઇ પિબૈકને કેડે લાગ્યો ।

કહે આજ નિશ્ચે એને મારૂં, ત્યારે પ્રભુજીએ કર્યું વારૂં ।।૪૮।।

કહે એનું ખાધું સિધ્ધે અન્ન, તેની તારે કરવી જતન ।

પછી બ્રાહ્મણ પાસે ભૈરવ, જઇ કહી છે વાત સરવ ।।૪૯।।

આજ મૃત્યું કરવું તું તારૂં, પણ ર્વિણએ કયુર્ં છે વારૂં ।

એમ કહીને ભૈરવ ગીયો, દ્વિજ પ્રભુને પાસે આવિયો ।।૫૦।।

જાણી ઇશ્વર નામિયું શિશ, કહે કરજયો ગુના બકશિશ ।

એમ કહીને વારમવાર,કરે બહુ પોતાનેધિક્કાર ।।૫૧।।

કહે ભણીગણી ભજયાં ભૂત, કર્યાં બહુ ભૂંડાં કરતુત ।

કર્યાં કુકર્મ તજી આચાર, એવો પાપી હું તેને ધિક્કાર ।।૫૨।।

એમ કહી ગ્રહ્યું હરિચરણ, પ્રભુ આવ્યો હું તમારે શરણ ।

એમ કહીને થયો છે શિષ્ય, જાણી મહારાજને જગદીશ ।।૫૩।।

ધાર્યો પ્રથમના જેવો ધર્મ, મુક્યાં બીજાં જે કરવાં કુકર્મ ।

કૌલાર્ણવાદિ ગ્રંથ સંભાળી, શાસ્ત્રબાહ્ય જાણી દીધા બાળી ।।૫૪।।

ભાગવત ગીતા પછી ભણ્યો, સાચો ભક્ત શ્રીકૃષ્ણનો બણ્યો ।

એવું ચરિત્ર કરી દયાળ, પછી ત્યાંથી ચાલ્યા તતકાળ ।।૫૫।।

હતા સિદ્ધ તેને શીખ દીધી, પોતે વાટ નવલખાની લીધી ।

મનુષ્યાકૃતિ સામર્થી અપાર, ધન્ય જનમોદન ભંડાર ।।૫૬।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ચરિત્ર નામે બત્રિશમું પ્રકરણમ્ ।।૩૨।।