૫૨. શ્રીહરિની સેવા માટે પ્રગટેલા પરમહંસોના નામની યાદી.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:33pm

રાગ સામેરી-

દુરવાસાના શાપથી, ઋષિએ ધર્યા હતા દેહ ।

તેહ મળ્યા છે મહારાજને, કરી અતિશે સનેહ ।।૧।।

એવા સંતશિરોમણિ, તેનાં તે કહું હવે નામ ।

તે સાંભળતાં સુખ ઉપજે, વળી પામે પરમ ધામ ।।૨।।

મોટા મુક્ત મહારાજના, ભાઇ રામદાસ અકામ ।

પંચવ્રતની મૂરતિ, જેને વાલા સુંદરશ્યામ ।।૩।।

મુક્તાનંદ છે નામ મુખ્ય, શુકમુનિ આદિ અપાર ।

સુંદર નામ સહુ સાંભળો , કહું નામ તણો નિરધાર ।।૪।।

સ્વરૂપાનંદ ને વ્યાપકાનંદ, બ્રહ્માનંદ ને ગોવિંદ ।

નિત્યાનંદ ને ચૈતન્યાનંદ, શાંતાનંદ ને આનંદ ।।૫।।

શુકાનંદ નિરંજનાનંદ, અદ્વૈતાનંદ એ નામ છે ।

અચ્યુતાનંદ અનંતાનંદ, આત્માનંદ અકામ છે ।।૬।।

અચિંત્યાનંદ ને અમોઘાનંદ, અખંડાનંદ અજીત છે ।

અદ્ભુતાનંદ અરિહન્ત્રાનંદ, ગોપાળાનંદ બ્રહ્મવિત જે ।।૭।।

અરૂપાનંદ અનુભવાનંદ, અક્ષરાનંદ આધારજી ।

અપારાનંદ અષ્ટાવક્રાનંદ, આદિત્યાનંદ ઉદારજી ।।૮।।

અચળાનંદ અવધુતાનંદ, અજન્માનંદ અજીતમુનિ ।

અખિલાનંદ અમૂર્તાનંદ, એમ નંદસંજ્ઞા સહુની ।।૯।।

અખિલબ્રહ્માંડેશ્વરાનંદ, આકાશાનંદ ૐકારાનંદજી ।

એક એકમાં અપાર બીજાં, નામનાં છે વૃંદજી ।।૧૦।।

વીર્યાનંદ વૈષ્ણવાનંદ, વિશ્વાસચૈતન્યાનંદ છે ।

વૈરાગ્યાનંદ ને વલ્લભાનંદ, વિશ્વરૂપાનંદ સ્વચ્છંદ છે ।।૧૧।।

સ્વયંપ્રકાશાનંદ સદાનંદ, પ્રજ્ઞાનંદ પરમાનંદ વળી ।

પરમચૈતન્યાનંદ નામ, પરમહંસ બોળા મળી ।।૧૨।।

વેદાંતાનંદ વૈકુઠાનંદ, કૈવલ્યાનંદ કૃૃષ્ણાનંદ કહીએ ।

માહાનુભાવાનંદ મુકુંદાનંદ, જ્ઞાનાનંદ ઘણા લહીએ ।।૧૩।।

ભગવદાનંદ ભાગેશ્વરાનંદ, શિવાનંદ બહુ સંગન્યા ।

શ્યામાનંદ ને રાઘવાનંદ, અક્રોધાનંદ ક્રોધ વિના ।।૧૪।।

તત્ત્વાનંદ ત્રિવિક્રમાનંદ, ત્રિક્રમાનંદ તદરૂપ છે ।

નિજાનંદ નિજબોધાનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે ।।૧૫।।

નિયમાનંદ નિર્માનાનંદ, નિર્લોભાનંદ નિષ્કામાનંદજી ।

નિઃસ્વાદાનંદ નિઃસ્પૃહાનંદ, નરનારાયણાનંદ નામજી ।।૧૬।।

કલ્યાણાનંદ કૌશિકાનંદ, જિજ્ઞાસાનંદ જાુક્તાનંદ જે ।

જક્તખંડાનંદ જગદીશાનંદ, ચિન્મયાનંદ ચિદાનંદતે ।।૧૭।।

ઇશ્વરાનંદ પરમેશ્વરાનંદ, બળભદ્રાનંદ નામ બહુજી ।

દયાનંદ દયાળાનંદ, ભજનાનંદ એ સહુજી ।।૧૮।।

હર્યાનંદ નરહર્યાનંદ, ધર્માનંદ પરમધર્માનંદ તે ।

પુરૂષોત્તમાનંદ પ્રકાશાનંદ, ત્યાગાનંદ જગવંદ જે ।।૧૯।।

સિદ્ધાનંદ સત્યેશ્વરાનંદ, શંકરાનંદ સુજાણ છે ।

સજજનાનંદ ને સત્યાનંદ, કૃપાનંદ મળે કલ્યાણ છે ।।૨૦।।

કેશવાનંદ કપિલેશ્વરાનંદ, પ્રભુતાનંદ પ્રવિણજી ।

માધવાનંદ મહાપુરૂષાનંદ, સત્ક્રિયાનંદ સુખદેણજી ।।૨૧।।

ધીરાનંદ દષ્ટપ્રકાશાનંદ, ધ્યાનાનંદ ધ્યાન ધરે ।

પ્રભાનંદ ને પુરૂષાનંદ, સાંખ્યાનંદ આનંદ કરે ।।૨૨।।

ચિદાનંદ ચિદ્રૂપાનંદ, ભાસ્કરાનંદ ભજે હરિ ।

ઋષભાનંદ રામરત્નાનંદ, યોગેશ્વરાનંદ જાણો ફરી ।।૨૩।।

નિર્ગુણાનંદ સદ્ગુણાનંદ, ગુણાતીતાનંદ ગંભીરજી ।

નૃસિંહાનંદ નિર્દ્વંદ્વાનંદ, નિરાલંબાનંદ મહાધીરજી ।।૨૪।।

વિદેહાનંદ નિઃસંદેહાનંદ, ર્નિિવકારાનંદજી ।

વિજ્ઞાનાનંદ વિશ્વાસાનંદ, દેવાનંદ સ્વચ્છંદજી ।।૨૫।।

દિવ્યાનંદ વાસુદેવાનંદ, નિરપક્ષાનંદ, નચિંતજી ।

ગણેશાનંદ ગોતીતાનંદ, લક્ષ્મણાનંદ અજીતજી ।।૨૬।।

નિવૃત્તાનંદ નીલકંઠાનંદ, અશોકાનંદ ઓપેઘણું ।

આજ્ઞાનંદ અવિનાશાનંદ, ભદ્રાનંદ ભાવાનંદ ભણું ।।૨૭।।

ભવાનાનંદ ને ભુધરાનંદ, વળી અછેદ્યાત્માનંદ છે ।

માયાતિતાનંદ મંજાુકેશાનંદ, રામાનુજાનંદ સુખાનંદ છે ।।૨૮।।

હંસાનંદ હરિભજનાનંદ, હયગ્રીવાનંદ હરિ રૂપ જે ।

પ્રદ્યુમ્નાનંદ પ્રતોષાનંદ, સૂર્યાનંદ સ્વરૂપ જે ।।૨૯।।

નરોત્તમાનંદ નારાયણાનંદ, નિર્મળાનંદ નિર્મળ છે ।

પરમાત્માનંદ પ્રશાંતાનંદ, મુક્તાત્માનંદ અકળ છે ।।૩૦।।

સવિત્રાનંદ સત્યેશ્વરાનંદ, સુજ્ઞાનંદ સુજાણ છે ।

યજ્ઞનાથાનંદ જયોતીશ્વરાનંદ, પ્રબોધાનંદ પ્રમાણ છે ।।૩૧।।

રામચંદ્રાનંદ રામેશ્વરાનંદ, રાસમંડળેશ્વરાનંદ કહીએ ।

પ્રભ્વાનંદ પદ્મનાભાનંદ, વળી વિશ્વાત્માનંદ લહીએ ।।૩૨।।

સુદેહાનંદ સર્વજ્ઞાનંદ, સ્વરૂપાનંદ શુન્યાતીતજી ।

યોગાનંદ જગન્નિવાસાનંદ, અક્ષરરૂપાનંદ અજીતજી ।।૩૩।।

તાપસાનંદ ત્રિગુણાતિતાનંદ, જગત્પ્રકાશાનંદ જડભરતજી ।

ગવેન્દ્રાનંદ ગોલોકેશ્વરાનંદ, શ્વેતદ્વીપાનંદ સમર્થજી ।।૩૪।।

તુર્યાનંદ તુર્યાતીતાનંદ, પતિતપાવન નામ છે ।

વામનાનંદ વિવેકાનંદ, દઢવ્રતાનંદ સુખધામ છે ।।૩૫।।

શ્રીગુરૂચરણરતાનંદ, ર્નિિવશેષાનંદ કહીએ ।

અનિરૂધ્ધાનંદ અભેદાનંદ, મધુસૂદનાનંદ લહીએ ।।૩૬।।

મંગળાનંદ મોહનાનંદ, વળી અવ્યયાત્માનંદ જે ।

સુવ્રતાનંદ સંશિતવ્રતાનંદ, વળી જ્ઞાનવલ્લભાનંદ તે ।।૩૭।।

વિચારાનંદ વિશ્વધરાનંદ, જ્ઞાનાનંદક્ષેમાનંદ ખરા ।

સુખદાનંદ ઘનશ્યામાનંદ, જિષ્ણવાનંદ યોગેશ્વરા ।।૩૮।।

અવદાતાનંદ અતિપ્રકાશાનંદ, મુક્તિદાનંદ વરદાનંદ કહીએ ।

સુવર્ણાનંદ શ્રીનિવાસાનંદ, બાળમુકુંદાનંદ લહીએ ।।૩૯।।

પ્રભાનંદ ભાસ્કરાનંદ, સુશીલાનંદ મનોહરા ।

આકાશનિવાસાનંદ જાણો, પ્રસાદાનંદ નંદ દહરા ।।૪૦।।

પવિત્રાનંદ પરમકૈવલ્યાનંદ, પદ્મધરાનંદ નરાનંદ છે ।

ભૂમાનંદ ભક્તેશ્વરાનંદ, સત્યધર્માનંદ આનંદ છે ।।૪૧।।

અનુપમાનંદ અક્ષરનિવાસાનંદ, ગદાધરાનંદ કરુણાનંદ કહીએ ।

શંખધરાનંદ સર્વપ્રકાશાનંદ, વળી સુખપ્રકાશાનંદ લહીએ ।।૪૨।।

ચિદાકાશાનંદ ચતુરાત્માનંદ, ચતુભુર્ જાનંદ ચવું ।

હિરણ્યગર્ભાનંદ હરિપ્રકાશાનંદ, વંશિધરાનંદ વર્ણવું ।।૪૩।।

માયાજિતાનંદ પુનિતાનંદ, ધામાનંદ રામશરણાનંદ છે ।

એકએક નામમાંહિ, માનો મુનિનાં વૃંદ છે ।।૪૪।।

પુંડરીકાક્ષાનંદ પ્રધાનપુરૂષેશ્વરાનંદ, પ્રાણદાતાનંદ પ્રતાપાનંદ જે ।

પાવનાનંદ પ્રકાશાત્માનંદ, પ્રથિતાનંદ પ્રમેષ્ટાનંદ તે ।।૪૫।।

પ્રમોદાનંદ પુુણ્યકીર્ત્યાનંદ, પુણ્યાનંદ કૃતાજ્ઞાનંદ કહીએ ।

કારણાનંદ ક્રોધહાનંદ, કુમોદાનંદ લોકાધ્યક્ષાનંદ લહીએ ।।૪૬।।

વિધાત્રાનંદ વિશ્રામાનંદ,વૃષાકપ્યાનંદવળી ।

વસ્વાનંદ વિશ્વકર્માનંદ, વિશ્વક્સેનાનંદ વેદાનંદ મળી ।।૪૭।।

વેદાંતાનંદવિજયાનંદ, વિશ્રુતાનંદ વિશ્વાનંદ છે ।

વર્ધનાનંદ વિવિક્તાનંદ, વિશિષ્ટાનંદ સ્વચ્છંદ છે ।।૪૮।।

નિર્મત્સરાનંદ નિર્વૃતાનંદ, ધર્માધ્યક્ષાનંદ ધ્રુવાનંદ છે ।

સ્થિરાનંદ સ્થવિષ્ઠાનંદ, અપ્રમેયાનંદ આનંદ છે ।।૪૯।।

વૃદ્ધપાનંદ વસુદાનંદ, વ્યવસાયાનંદ વિદ્યાનંદ વંદુ ।

વિષામાનંદ વિશાલાનંદ, વિમુક્તાનંદ જોઇ આનંદુ ।।૫૦।।

વિશોકાનંદ વિશ્વમૂર્ત્યાનંદ, હિરણ્યમયાનંદ હવે ।

નૈકરૂપાનંદ, નંદનાનંદ, નંદાનંદ નિષ્કુલાનંદ કવે ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે પરમહંસનાં નામ કહ્યાં એ નામે બાવનમું પ્રકરણમ્ ।।૫૨।।