લઈને ગયો મન પ્રાણ રે, માવો મારાં લઈને ગયો મન પ્રાણ રે
ભજ ગોવિંદમ્ भज गोविन्दम् BhajGovindam
હનુમાન ચાલીસા हनुमान चालीसा Hanumaan Chaalisaa ?
|| દોહા || || दोहा || Dohaa
શ્રી ગુરુચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ||
श्री गुरुचरण सरोज रज, निज मन मुकुर सुधारि |
સદ્.શ્રી નિષ્કુળાનંદસ્વામીનું જીવનચરીત્ર 2
વાસનાના વહેણમાં વહી રહેલા આ વિશ્વમાં માત્ર ભગવાન શ્રીસ્વામિનારાયણના અનુરાગી અને જગતના ભોગ પ્રત્યે દઢ વૈરાગી એટલે વૈરાગ્યમૂર્તિ સદગુરુ શ્રીનિષ્કુળાનંદસ્વામી. જેમના ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ જેવાં અનેક પદોએ ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીને ડોલાવ્યા હતા. જેના ‘જનની જીવો રે ગોપીચંદની’ જેવાં પદોએ અનેક રાજાઓનાં હૈયાંને હચમચાવ્યાં હતાં.
શ્રીસ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી શતાનંદ સ્વામીએ સત્સંગિજીવન શાસ્ત્રની રચના કરી, પછી તેમાંથી એક હજાર નામવાળું એક સર્વમંગલસ્તોત્ર બનાવ્યું, જેમાં સ્વામિનારાયણ ભગવાનનાં એક હજાર નામ છે. તેનો પાઠ કરવાથી સંપૂર્ણ સત્સંગિજીવન શાસ્ત્રના પાઠનું ફળ મળે છે. વળી સ્વામીએ વિચાર કર્યો જે, આ કળીયુગમાં માણસ આધિ, વ્યાધિ અને ઊપાધિ આ ત્રિવિધ તાપથી ઘેરાયેલો છે.
ભકતચિંતામણિ
"જે સંપ્રદાયના જે ઇષ્ટદેવ હોય તેનાં પ્રાદુર્ભાવથી લઇને અંતર્ધાન સુધીના જે ચરિત્ર અને ઉપદેશ તેનાથી યુકત જે ગ્રંથ હોય તે જ તે સંપ્રદાયની પાછળથી કાયમ માટે પુષ્ટિ કરતો રહે છે."
શ્રીજીમહારાજના આ મત પ્રમાણે સંતોએ આપણાં સંપ્રદાયમાં સત્સંગિજીવન અને ભકતચિંતામણિ જેવા અનેક ગ્રંથોનું સર્જન કર્યું છે, જે આજ દિન સુધી અનુયાયીઓને અતિ ઉપયોગી થયા છે.